SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના મિથ્યાત્વ મંદ થયેલું હોવાના કારણે પરમાર્થથી જિનના ઉપાસક છે' તેમ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “યોગદૃષ્ટિસમુચ્ચય'માં કહેલ છે. તેથી “કદાગ્રહ વગર તત્ત્વને જોવાને અભિમુખ જેઓની દૃષ્ટિ થઈ છે, માત્ર અજ્ઞાનને કારણે ઇષ અવિચારક સ્વદર્શનનો રાગ છે તેવા પતંજલિ આદિ ઋષિ પણ સન્માર્ગમાં છે' તેમ સ્થાને સ્થાને પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ઉલ્લેખ કર્યો છે. તેનાથી એ ફલિત થાય કે અનુભવ અનુસાર પદાર્થને યથાર્થ જોનારી દૃષ્ટિ સર્વ કલ્યાણનું કારણ છે. મૂઢતાથી કોઈ પણ દર્શનનો સ્વીકાર હોય અને તત્ત્વને જોવાને અભિમુખ દૃષ્ટિ ન હોય તો કલ્યાણની પ્રાપ્તિ ન થાય. આથી જ જૈનદર્શનના આચારો પાળનારા પણ વિચાર્યા વગર મૂઢતાથી જ જૈનદર્શનને સ્વીકારતાં હોય તો સ્યાદ્વાદને સ્વીકારનારા હોવા છતાં એકાંતવાદનું સ્થાપન કરે છે. એકાંતવાદનો જ સ્વીકાર કરે છે અથવા સ્યાદ્વાદ પણ સ્વમતિ અનુસાર યથાતથ જોડીને સ્વ-પરનો વિનાશ કરે છે. જેમ કપિલઋષિએ સ્વસંવેદનથી પ્રતીત થતા પોતાના દેહવર્તી આત્માને સ્વીકારેલ હોત તો અનુભવ અનુસાર પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પરિણમન પામતો પોતાનો આત્મા તેમને દેખાત, છતાં સ્વદર્શનના દૃષ્ટિરાગથી આત્માને કૂટનિત્ય સ્વીકારીને “પ્રકૃતિથી જન્ય બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડે છે” તેમ કહીને પદાર્થવ્યવસ્થા સંગત કરેલ છે. અને તે પ્રમાણે પોતાના અનુભવરૂપે જે આત્મા પોતાનું પ્રતીત છે તેને જ બુદ્ધિ કહે છે. જો તેમ સ્વીકારીએ તો આત્માને માનવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. છતાં તત્ત્વની વિચારણામાં મૂઢતાને કારણે કપિલ ઋષિને વિપરીત પદાર્થ જણાતો હતો તે જ રીતે જૈનદર્શનમાં પણ માનનારા કેટલાક માને છે કે ધનાદિની પ્રાપ્તિમાં પુણ્ય જ પ્રબળ કારણ છે, પુણ્ય હોય તો જ ધનાદિ પ્રાપ્ત થાય છે, પુણ્ય ન હોય તો ગમે તેટલો શ્રમ કરવા છતાં ધન પ્રાપ્ત થતું નથી. તેથી સંસારના ક્ષેત્રમાં પુણ્ય જ પ્રધાન છે અને આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થ જ પ્રધાન છે; કેમ કે પોતે ધારે તો સામાયિકાદિ શુભ અનુષ્ઠાન સ્વઇચ્છા અનુસાર કરી શકે છે. ભૂલથી તેઓનું આ કથન કપિલ ઋષિના કથન જેવું યુક્તિસંગત જણાય, પરંતુ “સમ્મતિ' ગ્રંથના અધ્યયનથી જેઓને નિર્મળ પ્રજ્ઞા પ્રગટી છે તેઓ તો સર્વત્ર અનુભવ અનુસાર જ પદાર્થને જોનારા છે. આથી અનુભવ અનુસાર જોવામાં આવે તો સંસારના ક્ષેત્રમાં પ્રયત્નથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ કરીને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી જેઓનું લાભાંતરાય કર્મ જે પ્રકારનું સોપક્રમ હોય છે તેને અનુરૂપ તેઓ પ્રયત્ન કરે તો ધન પ્રાપ્ત થાય છે. વળી, જેઓને લાભાંતરાયકર્મનો તીવ્ર ઉદય હોય અને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે તો પણ તે કર્મ ઉપક્રમને પામે તેમ ન હોય તો ધન પ્રાપ્ત થતું નથી. તે જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ જીવ સામાયિકાદિ જે બાહ્ય અનુષ્ઠાનો કરે છે તેના દ્વારા સામાયિકાદિની પરિણતિરૂપ જે ગુણો છે તેની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મો સોપક્રમ હોય અને જો તેઓ વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરે તો તે ક્રિયાઓ દ્વારા ધર્મને પ્રાપ્ત કરી શકે છે. વળી, જેઓના સામાયિકાદિના પ્રતિબંધક કર્મો નિરુપક્રમ છે, તેઓ બાહ્યથી સામાયિકાદિની ક્રિયા કરે તોપણ સામાયિકાદિની પરિણતિરૂપ ધર્મ તેઓને પ્રાપ્ત થતો નથી તેથી જેમ સંસારના ક્ષેત્રમાં ધન પ્રાપ્ત કરવાની ક્રિયામાત્ર કરે અને ધન મળે નહીં તેમ ધર્મની બાહ્ય ક્રિયા કોઈ મહાત્મા કરે તો પણ તે પ્રકારના પ્રચુર કર્મોને કારણે ધર્મ નિષ્પન્ન થાય નહીં. વળી, કોઈ પુરુષ જ્યારે ધનપ્રાપ્તિ માટે યત્ન કરતો હોય અને તીવ્ર લાભાંતરાયકર્મનો ઉદય હોય તો ધનની પ્રાપ્તિ ન થાય, પરંતુ પૂર્વનું ઉપાર્જિત ધન પણ નાશ પામે છે તેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy