SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨ અભિન્ન છે; કેમ કે પુરુષ એ પ્રકારના અભિન્ન અભિધાન અને પ્રત્યયના વ્યવહારની પ્રવૃત્તિ છે–પુરુષ એ પ્રકારના નામના વ્યવહારની અને પુરુષ એ પ્રકારના જ્ઞાનના વ્યવહારની પ્રવૃત્તિ છે. તેના જ=પુરુષરૂપ વસ્તુના જ, બાલ આદિ પર્યાયના યોગો છે=પરિણતિના સંબંધો છે, અને તે પરિણતિના સંબંધો બહુ વિકલ્પવાળા છે=પ્રતિક્ષણ સૂક્ષ્મ પરિણામ અંતર્ભૂત અનેક ભેદવાળા છે; કેમ કે ત્યાં=પુરુષરૂપ વસ્તુમાં, તે પ્રકારના વ્યતિરેક અર્થાત્ ભેદજ્ઞાનની ઉપપત્તિ છે=આ બાલ હતો હવે મોટો થયો હવે યુવાન થયો ઇત્યાદિરૂપ જુદા જુદા પ્રકારના ભેદજ્ઞાનની ઉપપત્તિ છે, અને આ રીતે=ગાથાનો અર્થ ટીકાકારશ્રીએ અત્યાર સુધી કર્યો એ રીતે, કથંચિ એક=પુરુષરૂપે એક, એ અવિકલ્પ અને કથંચિત્ અનેક=બાલાદિરૂપે અનેક, એ સવિકલ્પ સિદ્ધ છે, અન્યથા સ્વીકાર કરાયે છતે-પુરુષરૂપ વસ્તુને એક-અનેકરૂપે ન સ્વીકારવામાં આવે તો, તેનો અભાવ જ પ્રાપ્ત થાય=પુરુષરૂપ વસ્તુનો અભાવ જ પ્રાપ્ત થાય, એ પ્રમાણે વિપક્ષમાં=પુરુષરૂપ વસ્તુને એક અનેકરૂપ સ્વીકારવાને બદલે એકાંત એકરૂપ કે એકાંત અનેકરૂપ સ્વીકારવારૂપ વિપક્ષમાં, ‘અસ્થિ ત્તિ ળિવિવપ્ન' એ પ્રકારની અનંતર ગાથાથી બાધાને બતાવાશે. બીજી પાતનિકાથી આવેલ ગાથાાર્થ વળી=પ્રસ્તુત ગાથાની બીજી અવતરણિકા ટીકાકારશ્રીએ કરી તેનાથી પ્રાપ્ત થયેલો ગાથાનો અર્થ વળી, પુરુષ વસ્તુમાં પુરુષ ધ્વનિ વ્યંજનપર્યાય છે, શેષ બાલ આદિ ધર્મકલાપ અર્થપર્યાય છે એ પ્રમાણે ગાથાનો સમુદાય અર્થ છે. ।।૧/૩૨।। ભાવાર્થ: પ્રસ્તુત ગાથાની બે પ્રકારની અવતરણિકા કરેલ છે અને તે અવતરણિકાનુસાર બે પ્રકારના અર્થો ટીકાકારશ્રી કરે છે. તે અનુસાર પ્રથમ અવતરણિકા પ્રમાણે અર્થ કરતાં કહે છે પુરુષરૂપ વસ્તુ અતીત, અનાગત અને વર્તમાનના અનંત અર્થપર્યાયસ્વરૂપ અને વ્યંજનપર્યાયસ્વરૂપ છે. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષરૂપ વસ્તુ છે તે જીવદ્રવ્ય શાશ્વત છે. તેના અતીત, અનાગત અને વર્તમાન એવા ત્રણેય કાળના અનંત અર્થપર્યાયો છે અને અનંત વ્યંજનપર્યાયો છે. તે પુરુષરૂપ વસ્તુનો ‘આ પુરુષ છે એ પ્રકારના શબ્દથી વાચ્ય અર્થ તે પુરુષના જન્મથી માંડીને મરણ પર્યન્ત સુધી અભિન્ન પ્રાપ્ત થાય છે; કેમ કે ‘આ પુરુષ છે’ ‘આ પુરુષ છે’ એ પ્રકારનો અભિન્ન શબ્દ તે પુરુષના આખા જીવન દરમ્યાન પ્રવર્તે છે અને જ્ઞાન કરનારને પણ તે પ્રકારે અભિન્ન જ્ઞાન થાય છે. તે પુરુષરૂપ વસ્તુના બાલ આદિ પર્યાયના યોગો ઘણા વિકલ્પવાળા છે=જન્મથી માંડીને બાલ ભાવાદિની પ્રતિક્ષણની જે સૂક્ષ્મ પરિણતિ અન્ય અન્યરૂપે થાય છે તે સર્વ તેના પર્યાયની પરિણતિ છે; કેમ કે તે પરિણતિઓમાં તે પ્રકારે વ્યતિરેકજ્ઞાનની પ્રાપ્તિ છે અર્થાત્ ‘આ બાલ આટલા ક્ષણ મોટો થયો, હવે યુવાન થયો' ઇત્યાદિ ભિન્ન ભિન્ન જ્ઞાનની ઉપપત્તિ છે. આ રીતે એ પ્રાપ્ત થયું કે પુરુષરૂપે તે એક છે માટે અવિકલ્પ છે અને બાલ આદિભાવરૂપે અનેક છે, તેથી સવિકલ્પ છે. પુરુષને પુરુષરૂપે એક અને બાલ આદિભાવરૂપે અનેક સ્વીકારવામાં ન આવે તો તેનો અભાવ જ પ્રાપ્ત થાય એ પ્રકારે આગળની ગાથામાં બતાવાશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy