SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૨ ભાવાર્થ: ગાથા-૧૨થી અત્યાર સુધી વર્ણન કર્યું તેમાંથી ગાથા-૧૨માં દ્રવ્ય, પર્યાયથી વિયુક્ત નથી અને પર્યાયો, દ્રવ્યથી વિયુક્ત નથી તેમ બતાવીને બાહ્ય પદાર્થરૂપ વસ્તુનું અનેકાંતાત્મક સ્વરૂપ બતાવ્યું. ગાથા-૧૭માં આત્મામાં થતા હર્ષ શોકાદિ ભાવો પણ અનેકાંતાત્મક છે તેમ બતાવ્યા. એથી ફલિત થયું કે બાહ્ય અને અત્યંત૨રૂપ બે પ્રકારની વસ્તુ પણ અનેકાંતાત્મક છે અને તે બતાવ્યા પછી અનેકાંતાત્મક વસ્તુના પ્રતિપાદન કરનારા જે વાક્યો છે તે પણ અનેકાંતાત્મક સ્વરૂપવાળા છે, અન્ય પ્રકારના નથી તેને પ્રસ્તુત ગાથામાં બતાવે છે અવતરણિકા : अथवा अर्थव्यञ्जनपर्यायैः शक्तिव्यक्तिरूपैरनन्तैरनुगतोऽर्थः सविकल्पः निर्विकल्पश्च प्रत्यक्षतोऽवगतः, इदानीं पुरुषदृष्टान्तद्वारेण व्यञ्जनपर्यायं तदविकल्पकत्वनिबन्धनम्, अर्थपर्यायं च तत्सविकल्पकत्वनिमित्तमाह पुरिसम्मि इत्यादिना सूत्रेण - અવતરણિકાર્ય : ‘અથવા'થી ટીકાકારશ્રી બીજા પ્રકારે અવતરણિકા કરે છે શક્તિ અને વ્યક્તિરૂપ અનંત એવા અર્થપર્યાય અને વ્યંજનપર્યાયો વડે અનુગત એવો અર્થ સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જણાયો. હવે પુરુષ દૃષ્ટાંત દ્વારા વ્યંજનપર્યાય તેના=વસ્તુના, અવિકલ્પકત્વનું કારણ છે અને અર્થપર્યાય તેના=વસ્તુના, સવિકલ્પકત્વનું નિમિત્ત છે તેને ‘પુરિસમ્મિ’ ઇત્યાદિ સૂત્રથી કહે છે - ભાવાર્થ: આ પ્રકારે અવતરણિકાનો એક પ્રકારે અર્થ કર્યા પછી ટીકાકારશ્રી અન્ય પ્રકારે અવતરણિકા કહે દરેક પદાર્થો અર્થપર્યાય અને વ્યંજનપર્યાયવાળા છે. તે અર્થપર્યાય અને વ્યંજનપર્યાય દ્રવ્યમાં શક્તિરૂપે છે. જે જે પર્યાયો જ્યારે જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે તે પર્યાયો વ્યક્તિરૂપે છે. આવા અનંત પર્યાયોથી યુક્ત એવો બાહ્ય પદાર્થરૂપ અર્થ છે. તે અર્થ સવિકલ્પરૂપ=પર્યાય દ્વારા અનેકસ્વરૂપ, અને નિર્વિકલ્પરૂપ=દ્રવ્યરૂપે એકસ્વરૂપ, પ્રત્યક્ષથી અવગત છે=દેખાય છે. Jain Educationa International હવે પુરુષના દૃષ્ટાંત દ્વારા પદાર્થમાં રહેલ વ્યંજનપર્યાય તે અવિકલ્પપણાનું કારણ છે=એકતાની પ્રતીતિનું કારણ છે. જ્યારે અર્થપર્યાય તે સવિકલ્પતાનું કારણ છે=અનેકતાની પ્રતીતિનું કારણ છે એ પ્રમાણે ગાથામાં બતાવે છે --- For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy