SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧, ૩૨ આ કથનને અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે - એક પુદ્ગલ દ્રવ્ય અતીતકાલમાં હતું, અનાગત કાળમાં રહેશે અને વર્તમાનમાં વિદ્યમાન છે. વળી તે પુદ્ગલદ્રવ્ય દ્રવ્યરૂપે વિદ્યમાન છે. તે પુદ્ગલમાં રૂપાદિ ગુણો છે માટે તે ગુણરૂપે વિદ્યમાન છે. પુદ્ગલમાં તે તે પ્રકારની ક્રિયા થાય છે માટે કર્મરૂપે વિદ્યમાન છે. વળી પુદ્ગલદ્રવ્ય સત્ છે, તેથી સરૂપે સર્વ પદાર્થ સાથે સામાન્યરૂપ છે. વળી તે પુદ્ગલ દ્રવ્ય વર્તમાનમાં ઘટાદિ કોઈ વિશેષ અવસ્થાવાળું છે, તેથી વિશેષ પરિણામાત્મક છે. આ પુદ્ગલ દ્રવ્ય એક સાથે કે ક્રમથી પણ દ્રવ્ય, ગુણ આદિ ભાવસ્વરૂપ છે, તેથી કથંચિદ્ સર્વાત્મક છે; કેમ કે વિવક્ષિત પુદ્ગલદ્રવ્ય સત્ સત્પે સર્વ દ્રવ્યો સાથે સામાન્ય છે અને તે સ્વરૂપે કથંચિદ્ સર્વાત્મક એક સાથે દેખાય છે અને ક્રમસર પણ દેખાય છે. કેમ એક સાથે કે ક્રમસર પણ દેખાય છે ? તે બતાવતાં કહે છે એકાંત અસત્નો ઉત્પાદ થતો નથી તેથી જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે પર્યાયો પૂર્વે દ્રવ્યમાં શક્તિરૂપે સદ્ હતા માટે એક સાથે પુદ્ગલમાં જેટલા ભાવો ભૂતકાળમાં થયા અને ભવિષ્યમાં થશે તે સર્વ દ્રવ્યરૂપે વિદ્યમાન છે. માટે યુગપદ્ તે પુદ્ગલદ્રવ્ય અતીત, અનાગત, વર્તમાન દ્રવ્યરૂપ, ગુણરૂપ, કર્મરૂપ, સામાન્યરૂપ અને વિશેષરૂપ છે. વળી પદાર્થમાં રહેલા પર્યાયો નાશ પામે છે ત્યારે પણ દ્રવ્યનો અન્વય છે, પરંતુ નિરન્વય નાશ થતો નથી. તેથી ક્રમસર નવા નવા પર્યાયો પ્રાપ્ત થાય છે ત્યારે પણ, તે પુદ્ગલદ્રવ્ય અનુગત વિદ્યમાન હોવાથી અતીત, અનાગત, વર્તમાનરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ પરિણામાત્મક છે. માટે પુદ્ગલદ્રવ્ય કથંચિદ્ સર્વાત્મક છે તે સિદ્ધ થાય છે. II૧/૩૧II ૧૨૫ અવતરણિકા : एवं तावद् बाह्याभ्यन्तरभेदेन द्विविधस्यापि वस्तुनोऽनेकान्तात्मकत्वं प्रतिपाद्य तत्प्रतिपादन (क) वाक्यनयानामपि (वाक्यानामपि ) तथाविधमेव स्वरूपम् नान्यादृग्भूतमस्तीति प्रतिपादयन्नाह - અવતરણિકાર્ય : આ રીતે=ગાથા-૧૨થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, બાહ્ય અને અત્યંતરના ભેદથી=બાહ્ય ઘટ પટાદિ વસ્તુરૂપે ગાથા-૧૨માં બતાવ્યું એ રીતે અને અત્યંતર હર્ષ શોકાદિ ભાવો ગાથા-૧૭માં બતાવ્યા એ રીતે બાહ્ય અને અત્યંતરના ભેદથી, બે પ્રકારની પણ વસ્તુનું=બાહ્ય અત્યંતરના ભેદથી બે પ્રકારની પણ વસ્તુનું, અનેકાંતાત્મકપણું પ્રતિપાદન કરીને તેના પ્રતિપાદક વાક્યોનું પણ=બાહ્ય અને અત્યંતર વસ્તુના પ્રતિપાદક વાક્યોનું પણ, તેવા પ્રકારનું જ સ્વરૂપ છે અન્યાદૅભૂત નથી એને પ્રતિપાદન કરવા ગ્રંથકારશ્રી કહે છે - = Jain Educationa International * અવતરણિકામાં ‘તપ્રતિપાવનવાયનયાનામપિ' છે તે પાઠ અશુદ્ધ જણાય છે. તેના સ્થાને ‘તત્કૃતિપાવવાવચાનાપિ' પાઠ હોવો જોઈએ, શુદ્ધિ ઉપલબ્ધ થયેલ નથી. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy