SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧ પ્રાપ્ત થાય કે સંગ્રહનય, વ્યવહારનય અને જુસૂત્રનયરૂપ જે જ્ઞાનનો ઉપયોગ છે તે જ્ઞાનનો ઉપયોગ પદાર્થમાં રહેલા પર્યાયોનો ગ્રાહક છે. તેથી તે જ્ઞાનના ઉપયોગો અર્થપર્યાય છે અથવા તે જ્ઞાનથી ગ્રાહ્ય એવા પદાર્થમાં રહેલા ભાવો તે અર્થપર્યાય છે. વચનપર્યાય - વચનપર્યાય શું છે ? તે સ્પષ્ટ કરે છે – શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ વચનપર્યાય છે. એથી એ પ્રાપ્ત થાય કે શબ્દનય, સમભિરૂઢય અને એવંભૂતનયનો જે જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ જ વચનપર્યાયો છે અથવા તે જ્ઞાનના ઉપયોગથી જણાતા એવા વસ્તુના અંશો તે વચનપર્યાય છે. આ રીતે એક દ્રવ્યમાં અર્થપર્યાયો અને વચનપર્યાયો અનેક છે તેમ બતાવ્યા પછી તે અર્થપર્યાયો અને વચનપર્યાયો અનંત કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરીને તેને આશ્રયીને વસ્તુ અનંતપ્રમાણ છે તે બતાવતાં કહે છે – પૂર્વમાં એક દ્રવ્યમાં બતાવેલા તે સર્વ અર્થપર્યાયો અને વચનપર્યાયો અતીત, અનાગત અને વર્તમાનરૂપપણાથી સર્વદા વર્તે છે, વર્તેલા છે અને વર્તશે અર્થાત્ વર્તમાનરૂપે વર્તે છે, અતીતરૂપે વર્તેલા છે અને ભવિષ્યરૂપે વર્તશે. તેથી તે અર્થપર્યાયો અને વચનપર્યાયો અનંતકાલની અપેક્ષાએ અનંત બને છે. તેથી તે એક જીવાદિ વસ્તુ પણ તેટલા પ્રમાણ થાય છે=અનંત પ્રમાણ થાય છે. આશય એ છે કે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનયથી દેખાતા અર્થપર્યાયો અને શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનથી દેખાતા વચનપર્યાયો પરિમિત સંખ્યાવાળા દેખાતા હોવા છતાં તે પર્યાયો વર્તમાનમાં વર્તી રહ્યા છે, ભૂતકાળમાં વર્તેલા છે અને ભવિષ્યમાં વર્તશે તે દૃષ્ટિથી વિચારીએ તો તેઓની સંખ્યા અનંતી પ્રાપ્ત થાય છે. માટે એક જીવ આદિ વસ્તુ અનંત પ્રમાણવાળી બને છે. આ કથનને ટીકાકારશ્રી તથદિ'થી સ્પષ્ટ કરે છે – અનંતકાળથી સર્વ વસ્તુઓએ સર્વ અવસ્થાના પરસ્પર અનુગામને પ્રાપ્ત કરેલ છે અને અવસ્થા તથા અવસ્થાવાનનો કથંચિ અભેદ છે, તેથી ઘટાદિ વસ્તુ અનંતકાળમાં પટરૂપે, પુરુષરૂપે, ધર્માસ્તિકાયાદિરૂપે કે અધર્માસ્તિકાયરૂપે પણ કોઈક રીતે થયેલી છે માટે ઘટાદિ સર્વ વસ્તુઓ કથંચિત્ સર્વાત્મક છે. તાત્પર્ય એ છે કે ઘટરૂપ વસ્તુ વર્તમાનમાં ઘટરૂપે દેખાય છે તે જ ઘટના પુદ્ગલો પૂર્વમાં પટરૂપે પણ બનેલા, તો ક્યારેક કોઈ પુરુષના દેહરૂપે પણ બનેલા; વળી તે ઘટરૂપ વસ્તુ ધર્માસ્તિકાયના અવલંબનથી સ્થાનાંતર કરે છે અને અધર્માસ્તિકાયના અવલંબનથી સ્થિતિ કરે છે ત્યારે તે ઘટરૂપ વસ્તુનું ધર્માસ્તિકાયાદિ સાથે કથંચિત્ અનન્યપણું હોવાથી ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની અવસ્થાવિશેષ છે; કેમ કે અવસ્થા અને અવસ્થાવાનનો અભેદ હોવાથી તે ઘટાદિ વસ્તુ ધર્માસ્તિકાયાદિરૂપ પણ છે. આ રીતે જેમ ઘટરૂપ એક વસ્તુ જગતના સર્વ પદાર્થ સ્વરૂપ કથંચિત્ છે, એ રીતે પટાદિ અન્ય સર્વ વસ્તુઓ પણ કથંચિત્ સર્વાત્મક છે. તેથી ઘટાદિ વસ્તુ અનંત પ્રમાણને પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy