SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૧ શબ્દનયો છે અથવા તપરિચ્છેદ્ય એવા વસ્તુ અંશો છે=શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયથી પરિચ્છેદ્ય એવા વસ્તુના અંશો છે, અને તેઓ=એક જીવાદિ દ્રવ્યમાં જે અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે તેઓ, અતીત, અનાગત અને વર્તમાનરૂપપણાથી સદા વિવર્તન પામે છે=તે એક જીવાદિ દ્રવ્યમાં વિવર્તન પામે છે. સદા વિવૃત થયેલા અને સદા વિવર્તન પામશે, એથી તેઓનું=એક જીવ દ્રવ્યમાં રહેલા અર્થપર્યાયોનું અને વચનપર્યાયોનું, અનંતપણું હોવાથી=અતીત, અનાગત અને વર્તમાનરૂપ વિવર્તોની અપેક્ષાએ અનંતપણું હોવાથી, વસ્તુ પણ=એક જીવાદિ વસ્તુ પણ, તેટલાપ્રમાણ થાય છે=અનંતપ્રમાણ થાય છે. * મૂળ ગાથામાં ‘વા વિ' છે તેને જ અહીં ‘વ’કારથી (અને) ના અર્થમાં લીધેલ છે. એક જીવાદિ વસ્તુ અનંત પ્રમાણ છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે અનંત કાલથી સર્વ વસ્તુઓ વડે પરસ્પર અનુગમથી સર્વ અવસ્થાનું આસાદિતપણું હોવાના કારણે અને અવસ્થા પામનારનું અને અવસ્થાનું કથંચિદ્ અનત્યપણું હોવાથી ઘટાદિ વસ્તુ પટ, પુરુષ આદિ રૂપથી પણ કથંચિદ્ વિવૃત છે=ઘટાદિ વસ્તુનો પટ, પુરુષ, ધર્માસ્તિકાયની સાથે સરૂપે કે દ્રવ્યરૂપે અનુગમ છે તેથી જેમ ઘટ પોતાના પર્યાયરૂપે વિવૃત છે તેમ પટ, પુરુષ આદિ રૂપથી પણ કથંચિદ્ વિદ્યુત છે, એથી સર્વ કથંચિદ્ સર્વાત્મક છે=ઘટાદિ સર્વ વસ્તુ પટાદિરૂપ છે પુરુષ આદિરૂપ છે અને ધર્માસ્તિકાયાદિરૂપ પણ છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. વળી સર્વ વસ્તુ સર્વાત્મક છે, એ અનુભવથી બતાવે છે અતીત, અનાગત, વર્તમાન એવા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ પરિણામાત્મક એક પુદ્ગલદ્રવ્ય એકાંત એવા અસટ્ના ઉત્પાદનો અયોગ હોવાથી અને સત્તા નિરન્વયનાશનો અસંભવ હોવાથી યુગપદ્ અને ક્રમથી પણ તે=તે પુદ્ગલદ્રવ્ય, તથાભૂત જ=અતીત, અનાગત, વર્તમાન ક્ષણરૂપ દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-પરિણામાત્મક જ, દેખાય છે એ પ્રમાણે પ્રતિપાદિતપણું હોવાથી સર્વ વસ્તુ કથંચિદ્ સર્વાત્મક છે, એ પ્રમાણે અન્વય છે. ।।૧/૩૧। ભાવાર્થ: જગતમાં રહેલા દરેક પદાર્થો કચિદ્ એકસ્વરૂપ અને કથંચિદ્ અનેકસ્વરૂપ છે. કથંચિદ્ એક અનેકરૂપ રહેલ તે વસ્તુ અનંત પ્રમાણ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે તે જીવ, અજીવાદિ જે દ્રવ્ય છે તેમાંથી કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિચાર કરીએ તો તે દ્રવ્યમાં અર્થપર્યાયો અને વચનપર્યાયો છે. અર્થપર્યાય : અર્થપર્યાય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થના ગ્રાહક એવા જે નયો તે અર્થપર્યાયો છે. તેથી એ Jain Educationa International - – For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy