SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૦, ૩૧ ૧૨૧ અર્થ પ્રાપ્ત થાય છે. એક ઘટરૂ૫ અર્થના શબ્દપર્યાયો અનેક છે, માટે વિકલ્પિત શબ્દપર્યાયો શબ્દનયથી ભિન્ન છે. વળી સમભિરૂઢનય ઘટના પર્યાયવાચી ઘટ, કુટ, કુંભ શબ્દથી ઘટનો ભેદ કરે છે. તે કહે છે કે ઘટપદથી વાચ્ય વસ્તુ જુદી છે અને તેની તે જ વસ્તુ કુટ' પદથી વાચ્ય જુદી છે; તોપણ ઘટનક્રિયા કરતો હોય અને ઘટનક્રિયા ન કરતો હોય તે બન્ને ઘટરૂપ વસ્તુને સમભિરૂઢનય ઘટપદથી સ્વીકારે છે માટે એક ઘટરૂપ અર્થમાં ઘટનક્રિયારૂપ પર્યાય અને ઘટનક્રિયાના અભાવરૂપ પર્યાય છે. માટે વિકલ્પિત શબ્દપર્યાય સમભિરૂઢનયથી ભિન્ન છે. વળી, એવંભૂતનય ઘટની ક્રિયારૂપ ચેષ્ટા ઘટમાં થતી હોય ત્યારે તેને ઘટ કહે છે અને ઘટનક્રિયારૂપ ચેષ્ટા ન થતી હોય ત્યારે તે ઘટરૂપ વસ્તુને પણ ઘટ કહેતો નથી, તેથી એવંભૂતનયના મતે ઘટનક્રિયાવાળો ઘટ જ “ઘટ’ છે, તેથી ઘટરૂપ અભિન્ન અર્થ એવંભૂતનયથી વાચ્ય છે, પરંતુ ઘટનક્રિયાવાળો ઘટ અને ઘટનક્રિયા વગરનો ઘટ એ રૂપ ભિન્ન અર્થ એવંભૂતનયથી વાચ્ય નથી. વળી, એવંભૂતનય પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે ઘટનક્રિયારૂપ ચેષ્ટા સમયમાં જ ઘટ “ઘટ’ શબ્દથી વાચ્ય છે, જો તેમ માનવામાં ન આવે તો અતિપ્રસંગદોષની પ્રાપ્તિ છે અર્થાત્ સમભિરૂઢનય ઘટનક્રિયાવિશિષ્ટ અને ઘટનક્લિારહિત એવા બન્ને ઘટને “ઘટ' કહે છે અને તે રીતે “ઘટ' પદથી ભિન્ન અર્થ ગ્રહણ કરવામાં આવે તો કુંભને પણ ઘટપદથી વાચ્ય સ્વીકારવાનો અતિપ્રસંગ સમભિરૂઢનયને એવંભૂતનય આપે છે. એવંભૂતનય કહે છે કે ઘટનક્રિયા જેમાં નથી એવા ઘટને પણ ઘટ કહેવામાં આવે તો તે જ ઘટ કુંભનક્રિયા કરવાના સ્વભાવવાળો છે, માટે ઘટ કરતાં કુંભ જુદો છે તેમ સમભિરૂઢનય કહે તો ઘટનક્રિયા કરનાર ઘટ પણ ઘટનક્રિયા નહીં કરનાર ઘટથી જુદો છે તેમ સ્વીકારવું જોઈએ. તેથી એવંભૂતનયથી ઘટરૂપ અર્થમાં અનેક પર્યાયોની પ્રાપ્તિ નથી માટે વિકલ્પિત શબ્દપર્યાય માત્ર એવંભૂતનયથી અભિન્ન છે. I૧/૩૦માં અવતરણિકા : यत् तदन्यतो विभक्तेन स्वरूपेणैकमने च वस्तूक्तम् तद् अनन्तप्रमाणमित्याख्यातुमाह - અવતરણિકાર્ય : તેના અચથી વિભક્ત સ્વરૂપ વડે જે એક અને અનેક વસ્તુ કહેવાઈ=ગાથા-૨૯માં કહેવાઈ, તે અનંત પ્રમાણ છે એ પ્રમાણે વ્યાખ્યાન કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૯માં કહેલ કે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય સર્વથા અવિકલ્પ છે અને આરબ્ધવિભાગ પર્યાયનું વક્તવ્યમાર્ગ છે. તેથી અર્થથી એમ પ્રાપ્ત થાય કે દ્રવ્યાર્થિકનયથી વસ્તુ એકસ્વરૂપ છે અને પર્યાયાર્થિકનયથી અનેકસ્વરૂપ છે. તેવી વસ્તુ બતાવ્યા પછી હવે એક અનેકરૂપ કહેવાયેલી વસ્તુ જ સ્યાદ્વાદની દૃષ્ટિથી અનંતપ્રમાણ છે, તેમ બતાવવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy