SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૦ વ્યવચ્છિન્ન એવા દ્રવ્યથી અભિન્ન અર્થપર્યાયરૂપ વસ્તુ સ્વીકારે છે, તેથી વ્યવહારનયથી અદ્રવ્યથી વ્યવચ્છિન્ન એવા દ્રવ્યરૂપ-પર્યાયથી વિશિષ્ટ વસ્તુ છે. વળી ઋજુસૂત્રનય-અતીત અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાનથી અભિન્ન અર્થપર્યાયરૂપ વસ્તુ સ્વીકારે છે, તેથી ઋજુસૂત્રનયથી અતીત-અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાનથી વિશિષ્ટ વસ્તુ છે. અહીં પ્રશ્ન થાય કે સંગ્રહનય આદિ ત્રણ નયોનો વિષય એવો અર્થપર્યાય દ્રવ્યથી અભિન્ન છે તોપણ તઢિયવાળા નયો=અર્થપર્યાયના અભેદવિષયવાળા તે ત્રણે નયો, પણ અભિન્ન નયો કેમ કહેવાય છે? તેથી કહે છે – અર્થવિષયવાળા નો પણ અભિન્ન છે તેથી અર્થગત વિભાગ અભિન્ન છે એ પ્રમાણે કહેવાય છે. આશય એ છે કે સંગ્રહનય આદિ ત્રણે નમો ક્રમશઃ અસદ્ વ્યવચ્છિન્ન એવા સદ્ પર્યાયને, અદ્રવ્યથી વ્યવચ્છિન્ન એવા દ્રવ્યપર્યાયને અને અતીત, અનાગતથી વ્યવચ્છિન્ન એવા વર્તમાન પર્યાયને દેખાતા બાહ્ય અર્થથી અભિન્ન કહે છે, તેથી તે ત્રણે નયો અભિન્ન વિષયવાળા હોવાથી અભિન્ન છે. તેથી અર્થગત વિભાગ અભિન્ન છે એ પ્રમાણે મૂળ ગાથામાં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્તુ સંગ્રહનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે “સતુ છે તેમ ભાસે છે અને તે વસ્તુ “સતું' છે પણ અસતું નથી. તેથી તે “સતું' વસ્તુ “અસત્' થી વ્યવચ્છિન્ન છે તેથી વસ્તુ સતું છે, શશશૃંગ જેવી અસતું નથી તેવો બોધ થાય છે. વ્યવહારનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે આ વસ્તુ દ્રવ્ય છે, અદ્રવ્ય નથી તેમ ભાસે છે. તેથી ‘દ્રવ્ય વસ્તુ અદ્રવ્યથી વ્યવચ્છિન્ન છે તેવો બોધ થાય છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે વર્તમાન કાલની વસ્તુ છે, અતીત-અનાગતકાલીન આ વસ્તુ નથી તેવો બોધ થાય છે. તેથી અનાગત અને અતીત કાલની વસ્તુથી વ્યવચ્છિન્ન વર્તમાનની વસ્તુ છે તેવો બોધ થાય છે. આ સર્વ બોધમાં ‘સતુ આદિનો બોધ “અસતુ' આદિના અભાવથી અભિન્ન જ પ્રતીત થાય છે, કેમ કે જે “સત્ છે તે જ “અસહુના અભાવરૂપ છે તેમ પ્રતીત થાય છે. માટે અર્થગત વિભાગ અભિન્ન છે, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આ રીતે અર્થપર્યાય અભિન્ન છે તેમ સ્થાપન કર્યા પછી વ્યંજનપર્યાયમાં ભજના છે તે બતાવે છે – વ્યંજન એટલે પદાર્થના સ્વરૂપને વ્યક્ત કરનાર શબ્દો અને તે શબ્દ ઉપર ચાલતાં નવો શબ્દ વિકલ્પિત પર્યાયો સ્વીકારે છે. તે શબ્દથી વિકલ્પિત પર્યાયો ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. શબ્દથી વિકલ્પિત પર્યાયો શબ્દનયથી ભિન્ન છે અને સમભિરૂઢનયથી અભિન્ન પણ છે અને એવંભૂતનયથી માત્ર અભિન્ન છે. આશય એ છે કે બાહ્ય ઘટરૂપ પદાર્થને જોઈને તે ઘટરૂપ એક વસ્તુમાં શબ્દને આશ્રયીને ઘટ, કુટ, કુંભ ઇત્યાદિ વિકલ્પો થાય છે. વળી લિંગ, સંખ્યા આદિના પણ અનેક વિકલ્પો થાય છે તેમાં શબ્દનય ઘટને જોઈને થતા બધા વિકલ્પોને એક અર્થરૂપ સ્વીકારે છે, તેથી અનેક અભિધાન છે જેને એવો એક ઘટરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy