SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯ ૧૧૫ છે તે રીતે વ્યવહાર અર્થે જે જે પ્રકારના વિભાગો ઉપયોગી છે તે તે વિભાગો વ્યવહારનય કરે છે. આથી ઘટ કરતાં પટને જુદો કહે છે, જીવદ્રવ્ય કરતાં અજીવદ્રવ્યને જુદો કહે છે તે સર્વ વ્યવહારનયનો વિષય છે. આમ છતાં વ્યવહારનય પણ જે વસ્તુને દ્રવ્ય કહે છે તે અદ્રવ્યથી વ્યાવૃત્ત છે તેથી તે પણ દ્રવ્યરૂપે સદ્ અને અદ્રવ્યરૂપે અસ છે. માટે વ્યવહારનયને અભિમત દ્રવ્ય સઅસદુ વિશેષરૂપ હોવાથી નિર્ભેદ છે; કેમ કે દ્રવ્ય કહેવાથી જ અદ્રવ્યથી વ્યાવૃત્ત એવા દ્રવ્યની ઉપસ્થિતિ થાય છે. વળી, ઋજુસૂત્રનય વર્તમાન ક્ષણના બાહ્ય અર્થને ગ્રહણ કરે છે અને વર્તમાન ક્ષણના દ્રવ્યને પણ અન્ય સર્વ દ્રવ્યથી વ્યાવૃત્ત સ્વીકારે છે. તેથી વર્તમાન ક્ષણનું તત્સહવર્તી તે દ્રવ્ય ઋજુસૂત્રનય માટે સત્ છે અને પૂર્વ-ઉત્તર ક્ષણવર્તી તે દ્રવ્ય, દ્રવ્યરૂપે કે અન્ય દ્રવ્યરૂપે અસત્ છે. માટે ઋજુસૂત્રનયને અભિમત એવું પણ દ્રવ્ય પૂર્વ-ઉત્તર ક્ષણવાળા દ્રવ્યરૂપે અને અન્ય દ્રવ્યરૂપે અસત્ છે માટે ઋજુસૂત્રનયને અભિમત દ્રવ્ય પણ સદ્-અસદ્ વિશેષાત્મક છે. તેથી અવિકલ્પ છે=એક શબ્દથી ઉભય સ્વરૂપનું ગ્રહણ થાય છે. આ રીતે શ્લોકનો પૂર્વાર્ધ બતાવ્યા પછી શ્લોકના ઉત્તરાર્ધને બતાવતાં કહે છે – પૂર્વમાં દ્રવ્યાર્થિકનયના સંગ્રહાદિ ત્રણ નયોનું સ્વરૂપ બતાવ્યું કે સર્વ વસ્તુ સર્વ પ્રકારે નિત્ય અવિકલ્પરૂપે છે. આમ છતાં સંગ્રહનયે જે સરૂપે વસ્તુને સ્વીકારી તે વસ્તુનું દ્રવ્ય અને પર્યાયના વિભાગરૂપે વ્યવહારનયે સ્વીકારી તે રીતે પૂર્વ પૂર્વના નય કરતાં ઉત્તર ઉત્તરના નયો વસ્તુને વિભાગરૂપે સ્વીકારે છે. તેથી દ્રવ્યાર્થિકનયનું જે નિર્ભેદ વક્તવ્ય છે, તે ભેદથી સંપૂક્ત છે=ભેદથી આક્રાંત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે આરબ્ધ વિભાગ પર્યાયાર્થિકના વક્તવ્યનો માર્ગ છે સંગ્રહાયે જે સરૂપે બધાનો સંગ્રહ કર્યો. ત્યારપછી વ્યવહારનયે તેના વિભાગનો પ્રારંભ કર્યો તે વિભાગનો માર્ગ પર્યાયાર્થિકનયના વક્તવ્યનો માર્ગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાર્થિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયની છે અને વ્યવહારનય અને ઋજુસૂત્રનાં બાહ્ય અર્થને ગ્રહણ કરનારા હોવાથી દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે, તો પણ પર્યાયના વક્તવ્યમાર્ગથી આક્રાંત છે. તેથી સંગ્રહનયના સ્વીકારાયેલા પદાર્થના પર્યાયને ગ્રહણ કરીને વ્યવહારનય અને ઋજુસૂત્રનય ભેદ કરે છે. આથી જ સંગ્રહાયે સરૂપે સ્વીકારેલ વસ્તુને જ દ્રવ્યત્વરૂપે અને ગુણત્વરૂપે ભેદ કરીને તે સદ્ દ્રવ્યરૂપ કે ગુણરૂપ છે તેમ વ્યવહારનય કહે છે. વ્યવહારનયે જે દ્રવ્યને સ્વીકારેલું તે દ્રવ્ય પૂર્વઉત્તરભાવી પણ એક હતું તેનો વિભાગ ઋજુસૂત્રનય કરે છે. તેથી પૂર્વઉત્તરભાવી દ્રવ્ય સાથે જે દ્રવ્યનો ભેદ ઋજુસૂત્રનય કરે છે તે પર્યાયના વક્તવ્યમાર્ગથી આક્રાંત છે તે રીતે આગળના શબ્દાદિ નયો પણ જે વિભાગ કરે છે તે પર્યાયનયના વક્તવ્યથી આક્રાંત છે. વળી, શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે દ્રવ્યાર્થિકનયનું સર્વ વસ્તુનું વક્તવ્ય સર્વ પ્રકારથી નિત્ય અવિકલ્પ છે તેથી એ પ્રાપ્ત થાય કે જગતમાં જેટલા પદાર્થો છે તે સર્વ પદાર્થોને સંગ્રહનાં સર્વ પ્રકારથી હંમેશાં સદુરૂપે જ કહે છે. વ્યવહારનય જગતના સર્વ દ્રવ્યોને હંમેશાં સર્વ પ્રકારથી દ્રવ્યરૂપ જ કહે છે. ઋજુસૂત્રના વર્તમાનકાલીન જ પદાર્થ સ્વીકારે છે, છતાં જે જે કાળમાં જે જે વસ્તુ છે તે તે વસ્તુને તે તે સ્વરૂપે તે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy