SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯ પ્રકારનું વિશેષસ્વરૂપપણું છે, અને તે=દ્રવ્યાર્થિકના વક્તવ્યરૂપ નિર્ભેદ વસ્તુ, ભેદથી સંપૃક્ત છે=ભેદથી આક્રાંત છે, એ પ્રમાણે બતાવવા માટે કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે અને આરબ્ધ વિભાગ છે-સત્તારૂપ તે જ અવિભાગ જે દ્રવ્યાદિ આકારથી પ્રસ્તુત ભેદ છે તે આરબ્ધ વિભાગ છે; કેમ કે ‘પ' શબ્દનું=‘આરવ્વશ્ય'માં રહેલા ‘ચ' શબ્દનું પ્રક્રાંત અવિભાગનું અનુકર્ષણાર્થપણું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે પ્રક્રાંત અવિભાગ છે તેનું અનુકર્ષણાર્થપણું છે. (તેથી તે જ સત્તારૂપ અવિભાગનું અનુકર્ષણ કરનાર ‘ચ' શબ્દ હોવાને કારણે તે સત્તારૂપ અવિભાગનું ગ્રહણ કરીતે જે દ્રવ્યાદિ આકારથી પ્રસ્તુત ભેદ છે તે આરબ્ધ વિભાગ છે એમ કહેલ છે. આ આરવિભાગ શું છે ? તે બતાવે છે – અને પર્યાયના વક્તવ્યનો માર્ગ છે=પર્યાયાસ્તિકનું જે વક્તવ્યવિશેષ તેનો માર્ગ=પંથ, થયેલો છે=પર્યાયાસ્તિકથી પરિચ્છેદ્ય સ્વભાવવાળો વિશેષ પ્રાપ્ત થયો છે, ત્યાં સુધી અર્થ છે. ।।૧/૨૯।। ભાવાર્થ : સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ત્રણેય નયો બાહ્ય એવા દ્રવ્યરૂપ અર્થને બતાવવામાં પ્રવર્તે છે. સંગ્રહનય દ્રવ્યને સરૂપે કહે છે, વ્યવહારનય તે જ બાહ્ય પદાર્થને દ્રવ્યરૂપ કે ગુણરૂપ કહીને તેનો વિભાગ કરે છે, ઋજુસૂત્રનય તે જ બાહ્ય પદાર્થને ભૂતકાળથી અને ભવિષ્યકાળથી પૃથક્ એવા માત્ર વર્તમાનકાળ સ્વરૂપે સ્વીકારે છે. તેથી બાહ્ય અર્થરૂપ વસ્તુને કહેનારા આ ત્રણેય નયોનું જે વક્તવ્ય છે તે સર્વ પ્રકારથી સર્વ કાળ અવિકલ્પ છે=નિર્ભેદ છે=ભેદ વગરનું છે; કેમ કે દરેક પદાર્થો સદ્ અસદ્ વિશેષ સ્વરૂપ છે અર્થાત્ દરેક પદાર્થો કોઈક સ્વરૂપે સદ્ છે, કોઈક સ્વરૂપે અસદ્ છે, તે બન્ને સ્વરૂપ તે દ્રવ્યથી અપૃથભૂત જ છે, તેથી દ્રવ્યાર્થિકથી પરિચ્છેદ્ય વસ્તુ નિર્ભેદ છે. આશય એ છે કે દરેક પદાર્થો પોતાનામાં વર્તતા સ્વરૂપથી અર્થાત્ પોતાનામાં વર્તતા ભાવરૂપ સ્વરૂપથી અને અન્ય પદાર્થમાં વર્તતા ભાવના અભાવરૂપ સ્વરૂપથી વિદ્યમાન છે, તેથી દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય નિભેદ છે, એમ કહેલ છે. જેમ સંગ્રહનયે દરેક પદાર્થોને સરૂપે સ્વીકાર્યા તેથી અસદ્ એવા શશશૃંગાદિથી ભિન્ન સ્વરૂપવાળું સત્ છે તેથી સંગ્રહનયને અભિમત વસ્તુ પોતાના સ્વરૂપે સત્ છે અને શશશૃંગાદિ સ્વરૂપે અસદ્ છે તે રૂપ જ સંગ્રહનયને અભિમત પદાર્થ છે. એથી સંગ્રહનયનો પદાર્થ અવિકલ્પવાળો છે અર્થાત્ જેમ એક જ પદાર્થને ઘટ અને કુંભ કહેવાય છે, ત્યાં ભિન્ન શબ્દોના વિકલ્પો પડે છે તેવું નથી, પરંતુ સદ્ વસ્તુ અસથી વ્યાવૃત સ્વરૂપ જ છે. તેથી સદ્ કહેવાથી અસથી વ્યાવૃત્ત એવા વસ્તુ સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે. માટે સંગ્રહનયનો વિષય અવિકલ્પવાળો છે. વળી, સંગ્રહનય ઉત્તરભાવી એવો વ્યવહારનય વ્યવહાર કરવા અર્થે પદાર્થનો કાંઈક વિભાગ કરે છે. તેથી કહે છે કે જે સદ્ છે તે દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે. તેથી ગુણનો વિભાગ કરીને પ્રવર્તતો વ્યવહારનય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy