SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૯, ૩૦ કાળમાં સદા સ્વીકારે છે. તેથી ભૂતકાળમાં જ્યારે ઘટ હતો ત્યારે તેને ઘટરૂપે સ્વીકારતો હતો, વર્તમાનમાં જે ઘટ છે તેને ઘટરૂપે સ્વીકારે છે. માટે સર્વ કાળ પોતાના અભિમત પદાર્થને તે સ્વરૂપથી આ ત્રણેય નયો સદા સ્વીકારે છે. પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત પ્રથમ કાંડની ગાથા-પમાં કહ્યું કે, ઋજુસૂત્રનયથી પર્યાયાર્થિકનયનો પ્રારંભ થાય છે અને શબ્દાદિ નયો તેની શાખા-પ્રશાખા છે અને પ્રસ્તુત ગાથાની ઉત્તરની ગાથામાં અર્થાતુ ગાથા-૩૦માં અર્થનયનિબંધન સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્ર – એ ત્રણ નય ગ્રહણ કરેલ છે. એથી પ્રસ્તુત ગાથામાં દ્રવ્યાર્થિકનય તરીકે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય - એ ત્રણ નય ગ્રહણ કરેલ છે; કેમ કે આ ત્રણ નયો બાહ્ય પદાર્થરૂપ દ્રવ્યને જોઈને પ્રવર્તનારા છે. અને શબ્દાદિ નયો પદાર્થને આશ્રયીને પ્રવર્તતા નથી, પરંતુ શબ્દના વિકલ્પને આશ્રયીને પ્રવર્તે છે. તેથી શબ્દાદિ નયને વ્યંજનનય કહેલ છે. તેથી ગાથા-પમાં ઋજુસૂત્રનયથી પર્યાયાર્થિકનો માર્ગ સ્વીકાર્યો, ત્યાં બાહ્ય દ્રવ્યને અને વચનને આશ્રયીને ભેદ નથી, પરંતુ ઊર્ધ્વતા સામાન્ય અને તિર્યક્સામાન્ય - બન્નેનો ભેદ કરનાર ઋજુસૂત્રનય છે. તેથી તે પર્યાયાર્થિકનય છે; કેમ કે વર્તમાનક્ષણના પર્યાયને જ વસ્તુરૂપે સ્વીકારે છે તે પ્રકારની વિવફા છે અને પ્રસ્તુત ગાથામાં બાહ્ય દ્રવ્યને જોનાર જે દૃષ્ટિ છે તે દૃષ્ટિ ઋજુસૂત્રનય સુધી પ્રવર્તે છે, માટે ‘દ્રવ્યાસ્તિક' શબ્દથી ટીકાકારશ્રીએ સંગ્રહ આદિ ત્રણ નયોની વિવક્ષા કરી છે અને શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનયને વ્યંજનનય તરીકે સ્વીકારેલ છે. પ્રસ્તુત ગાથાનો અર્થ અત્યંત ગંભીર છે તેથી સ્વબુદ્ધિ અનુસાર જે કાંઈ વિભાગ દેખાયો છે તે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરેલ છે, વિશેષ પ્રકારનું તાત્પર્ય બહુશ્રુતો વિચારે. ૧/૨ અવતારણિકા : एवं भेदाभेदरूपं वस्तूपदर्श्य भेदस्य पर्यायार्थिकविषयस्य द्वैविध्यमाह - અવતરણિકાર્ચ - આ રીતે ગાથા-૨૯માં કહ્યું કે, દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય નિત્ય અવિકલ્પ છે અને આરબ્ધવિભાગ પર્યાયવક્તવ્યનો માર્ગ છે એ રીતે, ગાથા-૨૯માં ભેદભેદરૂપ વસ્તુ બતાવીને પર્યાયાર્થિકયતા વિષય એવા ભેદના કૈવિધ્યને કહે છે=વસ્તુનો બોધ કરવા પ્રવૃત એવા સંગ્રહ આદિ છ કયો છે તે વસ્તુને આશ્રયીને પર્યાયાધિકતયના વિષય એવા ભેદના કૈવિધ્ય ગાથા-૩૦ના પૂર્વાર્ધથી કહે છે – અથવા આ અવતરણિકા અન્ય રીતે આ પ્રમાણે છે – ગાથા-૨૯માં ભેદભેદરૂપ વસ્તુને બતાવીને પર્યાયાર્દિકનયના વિષયભૂત ભેદનું કૈવિધ્ય ગાથા૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે વ્યંજનવિકલ્પ થાય છે તેનાથી બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy