SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮, ૨૯ છે અને અન્ય નયના વિષય નિરપેક્ષ પોતાનો વિષય ગ્રહણ કરે તે અસત્ય છે એમ કહે છે. આથી જ જે પુરુષે અનેકાન્ત તત્ત્વનો પરમાર્થ જોયો છે તે પુરુષ નયથી વિભાજન કરતી વખતે એમ જ કહે કે ‘દ્રવ્યાર્થિકનયથી કથંચિત્ આ છે જ પરંતુ કથંચિદ અર્થક સ્યાદ્ પ્રયોગ વગર “આ છે જ” એમ પ્રયોગ કરતો નથી. ૧/૨૮ અવતરણિકા : अतो नयप्रमाणात्मकैकरूपताव्यवस्थितमात्मस्वरूपम् अनुगतव्यावृत्तात्मकम् उत्सर्गापवादरूपग्राह्यग्राहकात्मकत्वाद् व्यवतिष्ठत इत्यर्थप्रदर्शनायाह - અવતરણિતાર્થ : આથી=ગાથા-૨૮માં કહ્યું કે સર્વ તયો પોતપોતાના વચનીયમાં સત્ય છે પરના વિચાલનમાં મિથ્યાપ્રત્યયવાળા છે આથી, લય-પ્રમાણાત્મક એકરૂપતાથી વ્યવસ્થિત એવું આત્મસ્વરૂપ=પદાર્થનું સ્વરૂપ, અનુગત આત્મક અને વ્યાવૃત આત્મક વ્યવસ્થિત થાય છે; કેમ કે ઉત્સર્ગ અપવાદરૂપ જે ગ્રાહ્ય તેનું ગ્રાહકઆત્મકપણું છે=ઉત્સર્ગરૂપ જે સામાન્ય અને અપવાદરૂપ જે વિશેષ તસ્વરૂપ ગ્રાહ્ય એવું પદાર્થનું સ્વરૂપ તેના ગ્રાહક એવું લય-પ્રમાણાત્મક બોધનું સ્વરૂપપણું છે, એ પ્રકારના અર્થતા પ્રદર્શન માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૮માં કહ્યું કે દરેક નયો પોતપોતાને સ્થાને સત્ય છે, પરસ્થાને અસત્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દરેક નયો પોતાના સ્થાનને કહે ત્યારે પણ ગૌણરૂપે પરસ્થાનને સ્વીકારે તો તે નય સત્ય બને છે; કેમ કે પદાર્થ સર્વ નયોથી વાચ્ય સ્વરૂપવાળો છે અને સત્ય નય અન્ય નયથી વાચ્ય પદાર્થના સ્વરૂપનો અપલાપ કર્યા વગર પોતાના સ્થાનનું કથન કરે તો સુનય બને છે અને અન્ય સ્થાનનો અપલાપ કરે તો દુર્નય બને છે. વળી, પ્રમાણ, પદાર્થના પૂર્ણ સ્વરૂપને મુખ્ય કરે છે અને નય, પદાર્થના પૂર્ણ સ્વરૂપને સ્વીકારવા છતાં પોતાના સ્થાનને મુખ્ય કરે છે તેથી પદાર્થનું સ્વરૂપ નય અને પ્રમાણાત્મક જે જ્ઞાન છે તેની સાથે એકરૂપતાથી વ્યવસ્થિત સ્વરૂપવાનું છે અને તે સ્વરૂપ અનુગતાત્મક અને વ્યાવૃત્તાત્મક છે. પદાર્થનું સ્વરૂપ અનુગતાત્મક અને વ્યાવૃત્તાત્મક કેમ છે ? તેથી કહે છે – ઉત્સર્ગ-અપવાદરૂપ જે ગ્રાહ્ય પદાર્થ છે તેનું ગ્રાહક નય પ્રમાણનો બોધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્સર્ગથી=સામાન્યથી, દરેક પદાર્થો અનુગતાત્મક છે અને અપવાદથી=વિશેષથી, દરેક પદાર્થો વ્યાવૃત્તાત્મક છે, આવા ગ્રાહ્યરૂપ પદાર્થનું ગ્રાહક, જે પ્રમાણરૂપ બોધ છે. માટે નય પ્રમાણરૂપ બોધની સાથે એકરૂપતાથી વ્યવસ્થિત સ્વરૂપવાળું અનુગતરૂપ અને વ્યાવૃત્તરૂપ પદાર્થનું સ્વરૂપ છે તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy