SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮ ૧૧૧ ભાવાર્થ : સંગ્રહાદિ બધા નો સ્વ અંશના પરિચ્છેદ્ય વિષયમાં સમ્યજ્ઞાન સ્વરૂપ સત્ય છે. વળી, તે નયો પર નયના વિષયના વિચાલનમાં પર નયના વિષયનો ઉચ્છેદ કરવામાં મિથ્યા પ્રત્યયવાળા છે. કેમ પરવિષયના ઉચ્છદમાં મિથ્યા પ્રત્યયવાળા છે ? તેથી કહે છે – પર નયનો વિષય પણ સત્ય હોવાથી તેનું ઉમૂલન કરવું શક્ય નથી, છતાં જે નયો એકાંતને ગ્રહણ કરીને પર નયના વિષયનો ઉચ્છેદ કરે છે, તે નયો મિથ્યા છે. વળી, પર નયના વિષયનો ઉચ્છેદ દરેક એકાંતવાદી નયો કરે છે તે પ્રત્યક્ષથી દેખાય છે. આથી સત્કાર્યવાદી અસત્કાર્યવાદનું ખંડન કરે છે. માટે પર નયના વિષયનો ઉચ્છેદ ન થઈ શકે તેમ કેમ કહેવાય ? તેથી કહે છે – દરેક નયો પર નયના વિષયનો ઉચ્છેદ કરે તો પર નયના વિષયના અભાવમાં પોતાના નયના વિષયની પણ અવ્યવસ્થિતિની પ્રાપ્તિ છે; કેમ કે પદાર્થ માત્ર દ્રવ્યરૂપ નથી કે માત્ર પર્યાયરૂપ નથી, પરંતુ દ્રવ્યપર્યાયરૂપ હોવાથી તે એક જ વસ્તુ પર નયનો પણ વિષય છે, માત્ર સ્વનયનો વિષય નથી. એથી કોઈપણ નય પરનયના વિષયનું ઉમૂલન કરે તો પરનયના વિષયના અભાવની જેમ સ્વવિષયના અભાવની પણ પ્રાપ્તિ થાય. તેથી તે નયોના સ્વવિષયના પ્રત્યયનું પણ મિથ્યાપણું પ્રાપ્ત થાય; કેમ કે પરનયના વિષયથી વ્યતિરિક્ત સ્વનયના વિષયને ગ્રહણ કરે તેવી કોઈ વસ્તુ જગતમાં નથી. માટે તે એકનયની દૃષ્ટિથી ગ્રહણ થાય તેવી વસ્તુનો જગતમાં અભાવ હોવાથી એકનયથી વસ્તુને જણાવનાર જ્ઞાનરૂપ પ્રમાણનો અભાવ છે. માટે જે નયો પરનયનું ઉત્પનન કરે છે તે નયો પોતાના નાના વિષયનું પણ ઉત્પનન કરતાં હોવાના કારણે મિથ્યા બને છે. તેથી જે પુરુષે સિદ્ધાંતનું સ્વરૂપ જોયું છે, તે પુરુષ આ નય સત્ય છે, આ નય અસત્ય છે એ રૂપે વિભાગ કરતો નથી અર્થાત્ આ નયનો આ વિષય છે અને આ ઇતર નયનો વિષય છે એ પ્રમાણે જાણનારા પણ તે પુરુષ આ નયનો વિષય સત્ય છે અને આ નયનો વિષય અસત્ય છે એ રૂપે વિભાગ કરતો નથી, પરંતુ પોતાનાથી ઇતરનયના વિષયની અપેક્ષાવાળા સ્વનયને અભિપ્રેત એવો વિષય સત્ય છે એ પ્રમાણે જાણે છે. અહીં પ્રશ્ન થાય કે નય પોતાના વિષયને સત્ય કહે અને પરના વિષયને અસત્ય કહે એ પ્રકારનું કથન સર્વ દર્શનમાં દેખાય છે. તેથી તે નયનું કથન મિથ્યા છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે – ગ્રાહ્ય એવા પદાર્થના સત્ય અસત્ય દ્વારા ગ્રાહક એવા નયનું સત્યાસત્યપણું છે. તેથી સિદ્ધાંતને જાણનાર પુરુષ ગ્રાહ્ય પદાર્થને અનંત ધર્માત્મક જોતા હોય તો ગ્રાહક એવા નયને પણ ઇતર નયના વિષય નિરપેક્ષ સ્વવિષયને ગ્રહણ કરે તો તે અસત્ય બને અને ગ્રાહક એવો નય ઇતરનયના વિષયની અપેક્ષા સહિત સ્વવિષયને ગ્રહણ કરે તો સત્ય બને. એથી સિદ્ધાંતના જાણનારા પુરુષો આ નય સત્ય છે, આ નય અસત્ય છે એવો વિભાગ કરતા નથી, પરંતુ જે નય અન્ય નયના વિષય સાપેક્ષ પોતાનો વિષય ગ્રહણ કરે તે સત્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy