SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ થાય. વસ્તુતઃ એક જ દ્રવ્યમાં ભિન્ન રૂપ-રસાદિની પ્રતીતિ છે. માટે દ્રવ્યાદ્વૈતવાદ નિયમથી મિથ્યાત્વ છે. તેથી એકાંતથી દ્રવ્ય અદ્વૈતવાદી કહે છે કે માળાનું દૃષ્ટાંત પોતાને અભિમત એવું દ્રવ્યમાત્રરૂ૫ સાધ્યની સમાનતાને સિદ્ધ કરે છે, તે કથન મિથ્યા છે. આ રીતે સાંખ્યાદિ પાંચેય દર્શનકારોનું કથન મિથ્યા છે તેમ સ્થાપન થવાથી રત્નાવલીનું દૃષ્ટાંત તેઓને અભિમત એવા સાધ્યની સમાનતાને બતાવનાર નથી તેમ સિદ્ધ થયું. તેથી અર્થથી ફલિત થયું કે અનુભવસિદ્ધ દરેક દ્રવ્યો દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેક પ્રતીત થાય છે. તે પ્રતીતિના વિશ્વાસ માટે ઉપનીત રત્નાવલીનું દૃષ્ટાંત છે, એમ ગાથા-૨૬માં કહેલ તેની સિદ્ધિ થાય છે. વળી, ટીકાકારશ્રી આ પાંચેય પક્ષો એકાંત મિથ્યાવાદ છે, તેમ બતાવીને તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કારણમાં કાર્ય સદ્ જ છે અથવા પરિણામમાં પરિણામ સદ્ જ છે એ પ્રકારનો સાંખ્ય અને સાંખ્યવિશેષનો અભ્યપગમ છે. કાર્ય થાય છે ત્યારે કાર્ય પણ દેખાય છે અને કારણ પણ દેખાય છે, માટે બને છે અને કાર્યની નિષ્પત્તિ પૂર્વે માત્ર કારણ હતું, કાર્ય ન હતું, માટે અસદુ જ કાર્ય થાય છે એમ એકાંતે વૈશેષિકમત સ્વીકારે છે. કારણકાળમાં કાર્ય અસદુ જ છે અને કાર્યકાળમાં કારણ અસદું જ છે એમ ક્ષણિકવાદી બૌદ્ધ સ્વીકારે છે. કાર્ય પણ નથી, કારણ પણ નથી, દ્રવ્યમાત્ર જ છે એમ દ્રવ્યાદ્વૈતવાદી માને છે. તે પાંચેય મતો સ્વીકારવામાં નિયમથી મિથ્યાવાદ જ છે એ પ્રમાણે ગાથાથી સ્થાપન કર્યું. તેથી એ પાંચેય વાદો કથંચિત્ સ્વીકારવામાં આવે તો સમ્યગ્વાદો જ છે એમ ફલિત થાય છે, કેમ કે વસ્તુ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ છે. તેથી દરેક વસ્તુ કોઈક અપેક્ષાએ કાર્યરૂપ છે અને અકાર્યરૂપ છે. જેમ માટીરૂપ વસ્તુ ઘટની યોગ્યતાવાળી હોવાથી કાર્યરૂપ છે અને ઘટરૂપ કાર્ય આવિર્ભત નહીં હોવાથી અકાર્યરૂપ છે. તેથી કારણમાં કાર્ય કથંચિત્ સત્ છે, કથંચિત્ અસતરૂપ છે; કેમ કે માટીમાં ઘટની યોગ્યતા હોવાથી ઘટરૂપ કાર્ય સતું છે અને ઘટરૂપ પરિણામ પ્રગટ થયેલો નહીં હોવાથી તે ઘટરૂપ કાર્ય અસત્ છે. વળી, વસ્તુ કોઈક અપેક્ષાએ કારણરૂપ છે, કોઈક અપેક્ષાએ કાર્યરૂપ છે; કેમ કે દરેક દ્રવ્યો ઉત્તરમાં પ્રગટ થનારા પર્યાયનું કારણ છે. અને તેમાં જે પર્યાય પ્રગટ ન થાય તેવા પર્યાયનું અકારણ છે. આથી જ જીવદ્રવ્ય પોતાનામાં થતા ભાવોનું કારણ છે અને પુદ્ગલ આદિમાં થતા ભાવોનું કારણ નથી. વળી, કાર્યકાળમાં કારણ વિનાશ પણ પામે છે; કેમ કે કાર્યકાળમાં તે યોગ્યતા નથી. જેમ મોક્ષમાં ગમનની યોગ્યતા સંસાર અવસ્થામાં હતી તે મોક્ષપ્રાપ્તિનું કારણ મુક્તઅવસ્થામાં નાશ પામે છે. વળી, મોક્ષ પામનારનું જીવદળ મોક્ષપ્રાપ્તિકાળમાં અવિનાશ પામે છે. તેથી મોક્ષરૂપ કાર્યકાળમાં કારણ એવું જીવદ્રવ્ય અવિનાશવાળું છે તે પ્રકારની પ્રતીતિ છે, અન્યથી પ્રતીતિ નથી. માટે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તેથી સર્વ દર્શનવાદોને કથંચિત્ સ્વીકારવાથી બધા દર્શનવાદો સમ્યક બને છે. I૧/૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy