SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ ૧૦૭ તે સમવાયસંબંધ અપ્રામાણિક છે; કેમ કે મૃતપિંડથી અને ઘટથી અતિરિક્ત સમવાય શબ્દ વાચ્ય કોઈ સંબંધ દેખાતો નથી, પંરતુ મૃત્રપિંડ જ ઘટરૂપે પરિણમન પામેલું દેખાય છે. માટે સમવાયસંબંધથી મૃપિંડમાં ઘટ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું અપ્રમાણિક છે. બૌદ્ધદર્શન કારણથી વ્યતિરિક્ત જ કાર્ય ઉત્પન્ન થાય છે તેમ માને છે; કેમ કે બૌદ્ધદર્શનાનુસાર પદાર્થ ક્ષણિક છે અને દરેક ક્ષણ બીજી ક્ષણમાં નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં તેનાથી તેનું સંતાન પેદા થાય છે, જે પૂર્વક્ષણનું કાર્ય છે. તેથી બૌદ્ધદર્શનવાળા પણ અસત્કાર્યવાદી છે. ફક્ત વૈશેષિકદર્શનકાર ઉત્તરક્ષણમાં કાર્ય થાય છે ત્યારે પણ કાર્યથી પૃથક્ કારણ વિદ્યમાન છે તેમ માને છે અને કારણમાં સમવાયસંબંધથી કાર્ય ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીને અસત્કાર્યવાદનું સ્થાપન કરે છે અને બૌદ્ધદર્શનકાર કાર્યકાળમાં કા૨ણ નથી તેમ સ્થાપન કરીને અસત્કાર્યવાદ સ્થાપન કરે છે. બૌદ્ધદર્શનકારનું આ વચન પણ મિથ્યા છે તેનું સ્થાપન ગાથામાં ‘તં ચ ણ તં’ એ વચનથી ગ્રંથકારશ્રી કરે છે અર્થાત્ કારણ કાર્ય નથી પંરતુ કારણથી પૃથક્ કાર્ય છે એમ કહે છે, તે નિયમથી મિથ્યાત્વ છે. કેમ બૌદ્ધમત મિથ્યા છે ? તેથી કહે છે કારણથી જ્યારે કાર્ય ઉત્પન્ન થાય છે ત્યારે કારણમાં કાર્યરૂપે થવાથી શક્તિ છે તેમ માનવું પડે. તે શક્તિને કારણે તે કારણ કાર્યરૂપે પરિણમન પામ્યું તેમ સ્વીકારવું પડે. તેમ સ્વીકારીએ તો દ્રવ્યમાં શક્તિ છે અને તે શક્તિવાળું દ્રવ્ય ઉત્તરમાં દ્રવ્યરૂપે અનુગત છે, તેથી પૂર્વમાં વિદ્યમાન એવો પૂર્વપર્યાય નાશ પામ્યો અને ઉત્તરપર્યાયરૂપે તે દ્રવ્ય પરિણમન પામ્યું તેમ સિદ્ધ થાય. તેથી કારણ સર્વથા અસદ્ થતું નથી, પરંતુ કારણમાં શક્તિરૂપે સત્ એવું કાર્ય ઉત્તરમાં પ્રગટ થાય છે એમ માનવું જોઈએ. જો કારણમાં કાર્યરૂપે થવાની શક્તિ નથી તેમ સ્વીકારીએ તો પૂર્વનું કારણ ઉત્તર ક્ષણના કાર્યને કરે છે તેમ કહી શકાય નહીં. કારણમાં કાર્યની શક્તિ છે તેમ સ્વીકારીએ તો ઉત્તરક્ષણમાં કારણ સર્વથા નથી એમ કહી શકાય નહીં. વળી, ઉત્તરક્ષણમાં સર્વથા અસદ્ એવું કારણ કાર્યને કરે છે તેમ કહી શકાય નહીં; કેમ કે જે ઉત્તરક્ષણમાં સર્વથા અસદ્ હોય તે ઉત્તરક્ષણના કાર્યને કરી શકે નહીં. તેથી પૂર્વક્ષણમાં શક્તિવાળું દ્રવ્ય જ ઉત્તરક્ષણમાં વિદ્યમાન હોવાથી ઉત્તરક્ષણના કાર્યરૂપે પરિણમન પામે છે તેમ માનવું યુક્તિયુક્ત છે. માટે સર્વથા અસદ્ જ કાર્ય થાય છે એ પ્રકારે બોદ્ધમત મિથ્યા છે. તેથી એકાંત બૌદ્ધમત અનુસાર દૃષ્ટાંત સાધ્યની સમાનતાને=બૌદ્ધને અભિમત એવા અસત્કાર્યરૂપ સાધ્યની સમાનતાને, સિદ્ધ કરે છે એમ કહેવું મિથ્યા છે. વળી, દ્રવ્યમાત્ર જ તત્ત્વ છે કાર્યકારણભાવ નથી એમ માનનાર દ્રવ્યાદ્વૈતવાદીનો મત મિથ્યા છે તે બતાવવા માટે ગાથામાં કહે છે કે ‘તં ચેવ’=તે જ છે=દ્રવ્યમાત્ર જ છે, એ નિયમથી મિથ્યાત્વ છે. દ્રવ્યાદ્વૈતવાદી કહે છે કે દ્રવ્યથી વ્યતિરિક્ત કોઈ વસ્તુ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે જો દ્રવ્યનો અદ્વૈતવાદ સ્વીકારીએ તો દ્રવ્યમાં અનુભવાતા રૂપ-૨સ-ગંધાદિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy