SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ કારણથી પર્યાયરૂપ કાર્ય સર્વથા અપૃથક સત્કાર્યવાદી સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો તે કથન નિયમથી મિથ્યાત્વરૂપ છે. અને જે સત્કાર્યવાદનું કથન નિયમથી મિથ્યાત્વરૂપ હોય તેની સિદ્ધિ દૃષ્ટાંતથી થાય છે તેમ કહી શકાય નહીં. માટે એકાંતથી સત્કાર્યવાદ માનનાર સાંખ્યદર્શનકારો કહે છે કે રત્નાવલીનું દૃષ્ટાંત અમારા સાધ્યની સિદ્ધિને સમાન રીતે સિદ્ધ કરે છે તે કથન મિથ્યા છે. વળી, સાંખ્યવિશેષ કહે છે કે રત્નો જ માળારૂપે વ્યવસ્થિત થાય છે, તેથી રત્નોથી અવ્યતિરિક્ત રત્નોના વિકારમાત્રરૂપ માળા કાર્ય છે તેમ કહીને રત્નોથી અનર્થાતરભૂત પરિણામવાદનું સ્થાપન કરે છે. તેઓનું તે કથન પણ નિયમથી મિથ્યાત્વ છે. કેમ મિથ્યાત્વ છે ? તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપે છે – માળા અને રત્નમાં એકાંત અભેદ હોય તો કારણ જ અનર્થાન્તરભૂત પરિણામરૂપ માળા છે તેમ માનવું પડે, પરંતુ પૃથગૂ રત્નકાળમાં માળા દેખાતી નથી, પાછળથી દેખાય છે તેથી રત્નના પરિણામસ્વરૂપ માળા નથી, પણ રત્નો કરતાં માળારૂપ કાર્ય કાંઈક જુદું છે. તેથી રત્ન કરતાં અર્થાન્તરભૂત પરિણામવાદ સ્વીકારવો જોઈએ. માટે સાંખ્યવિશેષનો કારણથી અનર્થાન્તરભૂત પરિણામવાદ પણ નિયમથી મિથ્યાત્વ છે. તેથી સાંખ્યવિશેષ કહે છે કે દૃષ્ટાંત અમારા સાધ્યની સિદ્ધિને કરે છે તે વચન પણ મિથ્યા છે. વૈશેષિકમતકનૈયાયિકમત, અસત્કાર્યવાદી છે. તે કહે છે કે કારણમાં કાર્ય વિદ્યમાન નથી, પરંતુ કારણથી કાર્ય પૃથભૂત છે. આથી જ વૈશેષિકમત કહે છે કે બે પરમાણુમાં સમવાયસંબંધથી ચણક ઉત્પન્ન થાય છે અને તે બે પરમાણુથી એકાંત પૃથભૂત એવો હયણુક છે અને તે યમુક સમવાયસંબંધથી બે પરમાણુમાં રહે છે. આથી જ વૈશેષિકમત બે કપાલમાં સમવાયસંબંધથી ઘટ ઉત્પન્ન થાય છે તે વખતે બે કપાલો પણ છે અને તે બે કપાલમાં બે કપાલથી પૃથગુ એવો ઘટ સમવાય સંબંધથી છે તેમ સ્થાપન કરે છે, પરંતુ કારણ જ કાર્યરૂપે રહે છે કે કારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારતો નથી. તેનું નિરાકરણ કરવા માટે ગાથામાં કહેલ છે કે તે તે નથી=કારણ કાર્ય નથી, પરંતુ કારણથી કાર્ય પૃથક્ છે, તે કથન નિયમથી મિથ્યાત્વ છે. નૈયાયિક કહે છે કે મૃતૃપિંડ અવસ્થામાં ઘટની અર્થક્રિયાનો અને ઘટના ગુણના વ્યપદેશનો અભાવ છે, તેથી મૃતુપિંડમાં ઘટ નથી. માટે મૃતુપિંડમાં અસત્ એવો ઘટ ઉત્પન્ન થાય છે અને આ તૈયાયિકનો એકાંતવાદ મિથ્યાત્વ જ છે; કેમ કે જ્યારે મૃપિંડ ઘટરૂપે પરિણમન નહોતું પામતું ત્યારે તે મૃતૃપિંડમાં કાર્યકરણસ્વભાવ હતો, ઘટરૂપ કાર્ય કરે તેવો સ્વભાવ હતો અને જ્યારે મૃતપિંડમાંથી ઘટ થાય છે ત્યારે તે મૃદુપિંડમાં કાર્ય કરણના સ્વભાવનો ત્યાગ થાય છે અને ઘટરૂપ કાર્યાકરણસ્વભાવ પ્રગટે છે. તેથી તે મૃપિંડ ઘટકાર્યરૂપે પરિણમન પામે છે, તેમ માનવું જોઈએ. માટે સદ્ અસદુ કાર્યરૂપ અનેકાંતવાદની સિદ્ધિ છે. વળી, નૈયાયિક કહે છે કે મૃદુપિંડને આશ્રિત સમવાયસંબંધથી ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy