SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ નથી એ પ્રકારનો સાંખ્યમત એમ કહેનાર વૈશેષિક મત, કાર્ય નથી અને કારણ પણ નથી પરંતુ દ્રવ્યમાત્ર તત્ત્વ છે એથી તે જ છે એ પ્રકારનો દ્રવ્યાÀતમત નિયમથી એકાંત સ્વીકારમાં સર્વ પણ આ મિથ્યાવાદો ઉક્ત ચાયથી પૂર્વમાં કહ્યું એ રીતે, “નિયમથી મિથ્યાત્વ છે' એ પ્રકારનું અભિયાન હોવાથી કથંચિત્ સ્વીકાર કરાયે છતે એ પાંચે વાદોને સ્યાદ્ શબ્દ મૂકીને કથંચિત્ સ્વીકાર કરાયે છત, સમ્યગ્વાદ જ આ છે એ પ્રમાણે કહેવાનું થાય છે. જે કારણથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુ સ્થિત હોતે છતે તે વસ્તુ તે તે અપેક્ષાએ કાર્ય છે, અને અકાર્ય છેઃમૃદુરૂપ વસ્તુ ઘટરૂપે થવાની યોગ્યતાવાળી હોવાને કારણે તે કાર્ય છે અને ઘટ પ્રગટ થયો તથી એ અપેક્ષાએ અકાર્ય છે, કારણ છે અને અકારણ છે, અર્થાત્ માટીમાં ઘટ થવાની યોગ્યતા છે તે અપેક્ષાએ માટી ઘટનું કારણ છે. ઘટ પ્રગટ થાય છે ત્યારે માટીમાં ઘટતી યોગ્યતા નથી એ અપેક્ષાએ માટી ઘટતું કારણ નથી. કારણમાં કાર્ય સત્ છે, અસત્ છે=કારણમાં કાર્ય થવાની યોગ્યતા છે એ અપેક્ષાએ સત્ છે, કાર્ય પ્રગટ થતું નથી તે અપેક્ષાએ કારણમાં કાર્ય અસત્ છે, કાર્યકાળમાં કારણ વિનાશવાળું છે અને અવિનાશવાળું છે, કેમ કે તે પ્રકારે જ પ્રતીતિ છે પૂર્વમાં કહ્યું કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુ હોવાથી અપેક્ષાએ કાર્ય છે, અપેક્ષાએ અકાર્ય છે ઈત્યાદિ કર્યું તે પ્રકારે જ પ્રતીતિ છે અને અન્યથા અપ્રતીતિ છે. I૧/૨૭ના ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ અનુભવને અનુરૂપ પદાર્થ અનેકાંતાત્મક છે તેમ સ્થાપન કર્યા પછી તેમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે રત્નાવલીનું દૃષ્ટાંત બતાવેલ છે. તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને સાંખ્યદર્શનકાર કહે છે કે આ રત્નાવલીનું દૃષ્ટાંત સત્કાર્યવાદરૂપ અમારા સાધ્યને સિદ્ધ કરનાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો દૃષ્ટાંત અનેકાંતની સિદ્ધિના વિશ્વાસ માટે સ્વીકારવામાં ન આવે અને સત્કાર્યની સિદ્ધિ માટે સ્વીકારવામાં આવે તો રત્નોના સમૂહથી સિદ્ધ એવું માળારૂપ કાર્ય જે રત્નોમાં વિદ્યમાન જ છે તેમ કહેવું તે નિયમથી મિથ્યાત્વ છે. કેમ એકાંતથી મિથ્યાત્વ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – સાંખ્યદર્શનકારો એકાંત સત્કાર્યવાદી છે પરંતુ સત્અસત્કાર્યવાદી નથી. તેથી તેમના મતે કારણમાં કાર્ય સદા વિદ્યમાન છે માટે જેમ કારણનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી તેમ કાર્યના સ્વરૂપની અનુત્પતિનો પ્રસંગ આવે છે. તેથી એકાંતે સદુ જ કાર્ય છે તેમ માનવું એ નિયમથી મિથ્યાત્વ છે. તેમાં લોકવ્યવહારની અપેક્ષાએ બે દૃષ્ટાંતો આપેલ છે. જેમ રત્નોના સમૂહરૂપ માળા છે અને દૂધના પરિણામરૂપ દહીં આદિ છે તે બન્ને કાર્યો કારણમાં જો સર્વથા વિદ્યમાન હોય તો જેમ કારણનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી તેમ કાર્યનું સ્વરૂપ પણ ઉત્પન્ન થવું જોઈએ નહીં, કેમ કે કાર્ય સર્વથા સદ્ જ હોય તો સદ્ એવું તે પાછળથી ઉત્પન્ન થઈ શકે નહીં. માટે દ્રવ્યરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy