SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ આ રીતે ગાથાના પૂર્વાર્ધને ગ્રહણ કરીને ઉત્તરાર્ધના “તે' શબ્દને ગ્રહણ કરીને તેના દ્વારા સત્કાર્યવાદી સાંખ્ય અને સાંખ્યવિશેષ એ બે મતોનું ગ્રહણ છે અને તે નિયમથી મિથ્યાત્વરૂપ છે તેમ ગાથામાં બતાવેલ છે તેને સ્પષ્ટ કરે છે – અને આ અભ્યપગમ મિથ્યા છે=ગાથામાં “તે તિ નિયન મિથ્યા' એ પ્રકારના વચન દ્વારા સાંખ્યનો મત બતાવ્યો તે અભ્યપગમ મિથ્યા છે. કેમ મિથ્યા છે ? તે તથદિ'થી સ્પષ્ટ કરે છે -- જો એકાંતથી કારણમાં કાર્ય છે સાંખ્યદર્શનકાર કાર્ય સત્ જ છે એમ સ્વીકારીને એકાંતથી કારણમાં કાર્ય છે, એમ કહે તો, કારણસ્વરૂપની જેમ કાર્યસ્વરૂપની અનુત્પત્તિની પ્રસક્તિ છે જેમ કારણમાં કારણનું સ્વરૂપ વિદ્યમાન હોવાથી ઉત્પન્ન થતું નથી તેમ કાર્યનું સ્વરૂપ પણ એકાંત સત્કાર્યવાદમાં વિદ્યમાન હોવાથી કાર્યની ઉત્પત્તિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. અનર્થાન્તરભૂત પરિણામવાદ પણ કારણથી અનર્થાતરભૂત પરિણામ છે એમ સ્વીકારનાર સાંખ્યવિશેષતો પરિણામવાદ પણ, પ્રતિક્ષિપ્ત જ છે. મૃપિંડઅવસ્થામાં ઘટાદિ અર્થક્રિયાનો=ઘટની જલધારણની ક્રિયાનો, અને ગુણના વ્યપદેશનો અભાવ હોવાથી ઘટના ગુણોના વ્યપદેશનો અભાવ હોવાથી અસદ્ જ કાર્ય ઉત્પન્ન થાય છે એ પ્રકારનો આ પણ=વૈશેષિકમત પણ, એકાંતમિથ્યાવાદ જ છે; કેમ કે કાર્યોત્પત્તિકાળમાં કાર્યથી અવ્યતિરિક્ત અવિચલિત સ્વરૂપવાળા કારણનું સત્વ હોતે છતે પૂર્વોક્ત દોષનો પ્રસંગ છે=સાંખ્યવાદીને ગ્રંથકારશ્રીએ જે દોષો આપેલા તે દોષોનો પ્રસંગ છે. કારણથી વ્યતિરિક્ત ત્યાં=કારણમાં, અસદ્ જ કાર્ય છે એ પ્રકારનો આ પણ પક્ષ બૌદ્ધનો પણ પક્ષ, મિથ્યાત્વ જ છે. બ્રહ્માદ્વૈતવાદનો પણ પૂર્વમાં જ પ્રતિષેધ કરાયો છે, એથી તે જ એ પ્રકારનો=ગાથામાં રહેલ તત્વ વા' એ પ્રકારનો, આ પણ પક્ષ=એ પ્રકારનો બ્રહ્માદ્વૈતવાદનો પણ પક્ષ, મિથ્યાત્વ જ છે. તેથી=ગાથામાં કહેલ “તે ઉત્ત' દ્વારા સાંખ્યના બે મતો મિથ્યાત્વ છે તેમ સ્થાપન કર્યું. ‘ત ર જ ' દ્વારા વૈશેષિક અને બૌદ્ધ મત મિથ્યા છે તેમ સ્થાપન કર્યું. અને તે વેવ' દ્વારા બ્રહ્માદ્વૈતવાદપક્ષ મિથ્યા છે તેમ સ્થાપિત કર્યું તેથી, કારણમાં ઘટાદિ દ્રવ્યતા મૃદ્દ આદિ કારણમાં, અથવા પરિણામીમાં દહીં આદિના પરિણામી કારણ એવા દૂધ આદિમાં, કાર્ય અથવા પરિણામ “સવ'=સદ્ જ છે (એ બે સાંખ્યવાદીના મતો) “તો વ=તે બે જ છે=મૃપિંડ અને ઘટ તે બે જ છે. (એથી અસત્ એવો ઘટ થાય છે એવો વૈશેષિકનો મત) તો સવ'=તે બન્ને અસદ્ જ છે અર્થાત કાર્ય થાય છે ત્યારે કારણ અસદ્ છે અને કારણ છે ત્યારે કાર્ય અસત્ છે, તેથી તે બન્ને અસદ્ જ છે (તે પ્રકારનો બૌદ્ધનો મત) તત્ તત્ર'ઋતે ત્યાં છે કાર્ય કારણમાં છે. એથી કારણ જ કાર્ય નથી અથવા પરિણામી જ પરિણામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy