SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ ૯૫ કરતા નથી=‘આ દ્રવ્યાર્થિકનય છે’, ‘આ પર્યાયાર્થિકનય છે', એ પ્રકારને પૃથગ્ નામોને પ્રાપ્ત કરતાં નથી; કેમ કે તે ઉપયોગમાં દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેકસ્વરૂપે ચૈતન્યની પ્રતિપત્તિ છે=જ્ઞાનનો ઉપયોગ વર્તે છે, પરંતુ દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે, ઇત્યાદિ પૃથરૂપે ઉપયોગ વર્તતો નથી. આશય એ છે કે જેમ રત્નાવલીની રત્નાવલીરૂપે ઉપસ્થિતિ થાય છે, પરંતુ પૃથક્ રહેલા વૈડૂર્યાદિની જેમ ‘આ વૈસૂર્ય છે’, ‘આ અન્ય મણિ છે' તેમ પ્રતીતિ થતી નથી; તેમ જે જે પ્રમાણે એક નય સાથે અન્ય અન્ય નય સાદશ્ય સ્વભાવથી સુસંબદ્ધ હોય તે રીતે યોજન કરીને ઉપદેશક સર્વ નયોનું કથન કરતાં હોય ત્યારે તે ઉપદેશકના વચનથી પ્રમાણાત્મક પૂર્ણ પદાર્થનો બોધ થાય છે, પરંતુ તે તે નયનો બોધ થતો નથી. માટે તે વખતે તે વક્તવ્યને પ્રમાણવચન કહેવાય, નયવચન કહેવાય નહીં. જેમ કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને પ્રમાણદૃષ્ટિથી અહિંસાનું સ્વરૂપ બતાવવા માટે ‘અહિંસા જ ધર્મ છે’ એમ બતાવીને વ્યવહારનયથી ષટ્કાયના પાલન અનુકૂળ ઉચિત યતના અહિંસા છે તેમ કહે છે ત્યા૨૫છી તે વ્યવહારનયની અહિંસા સાથે સાદશ્યસ્વભાવથી યોજન કરાયેલ ઋજુસૂત્રનયની દયા છે તેમ કહે છે; કેમ કે ષટ્કાયના પાલનની કિયા દ્વારા જીવને અંતરંગ ષટ્કાયના પાલનનો અધ્યવસાય પ્રગટ થાય છે. તેથી વ્યવહારનયની સાથે સાદશ્યપણાથી સંબદ્ધ ઋજુસૂત્રનયની દયા છે અને ઋજુસૂત્રનયની દયા બતાવ્યા પછી તેની સાથે સાદશ્ય સ્વભાવથી શબ્દાદિ નયની દયાને યોજન કરતાં કહે કે ઋજુસૂત્રનય દ્વારા ષટ્કાયના પાલનના અધ્યવસાયની પરિણતિથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ કરવારૂપ સામ્યભાવનો પરિણામ જ અભિપ્રેત છે તેથી શબ્દાદિનય સર્વત્ર સામ્યભાવને જ દયા સ્વીકારે છે. આ રીતે શબ્દાદિ નયથી પોતાના સામ્યભાવનું રક્ષણ જ દયા છે તેમ કહે છે અને આ ત્રણેય નયોને પરસ્પર સુસંબદ્ધ ગોઠવીને એક ઉપયોગથી ઉપદેશક શ્રોતાને બોધ કરાવે ત્યારે રત્નાવલીમાં ગુણની પરિપાટીથી ગોઠવાયેલા મણિની જેમ આ સર્વ નયો પરસ્પર સુબદ્ધ બને છે તે વખતે તે ઉપયોગ પ્રમાણ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, નયસંજ્ઞાને પ્રાપ્ત કરતો નથી. અહીં ટીકામાં ‘યથાનુરૂપવિનિર્યુક્તવક્તવ્યા' એ નયવાદોનું વિશેષણ છે. તેનો અર્થ કરતાં કહ્યું કે ‘યથા’ શબ્દ વીપ્સા અર્થમાં છે. ‘અનુ’ શબ્દ સાદશ્ય અર્થમાં છે અને ‘રૂપ' શબ્દ સ્વભાવ અર્થમાં છે. ત્યારપછી કહ્યું કે અનુની સાથે રૂપનો અવ્યયીભાવસમાસ છે. ‘વીપ્સા’ અર્થમાં વપરાયેલ ‘યથા’ શબ્દની સાથે પણ અવ્યયીભાવસમાસ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ મણિની રત્નાવલીમાં મણિઓ જે જે પ્રમાણે શોભાની વૃદ્ધિ થાય તે પ્રમાણે સાદશ્ય જોઈને ગોઠવવામાં આવે તો રત્નાવલી બને, જેમ તેમ ગોઠવાયેલા હોય તો રત્નાવલી ન બને; તેમ સર્વ નયવાદો જે જે પ્રમાણે પૂર્વ નયની સાથે ઉત્તરનયના સાદ્દશ્ય સ્વભાવરૂપે બતાવીને સર્વ નયોનું યોજન કરવામાં આવે તો તે નયોના સમૂહરૂપ જે વિશેષ છે તે નિર્યુક્ત વક્તવ્ય બને છે તેવા સર્વ નયોનો સમૂહ પ્રમાણસંજ્ઞાને પામે છે, પરંતુ નયસંજ્ઞાને પામતું નથી. વળી ટીકામાં શંકા કરે છે કે નય પ્રમાણાત્મક ચૈતન્ય અધ્યક્ષસિદ્ધ છે માટે રત્નાવલીનું દૃષ્ટાંત આપવું વ્યર્થ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રત્યક્ષ પદાર્થમાં દૃષ્ટાંતની આવશ્યકતા નથી, પરંતુ અનુમાનમાં કે અન્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy