SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨પ ત્રણેય નયોનો સમુદાય પ્રમાણરૂપ હોવા છતાં તે પ્રત્યેક નવો સ્વવિષયના પરિચ્છેદકપણારૂપે પદાર્થને કહેનારા છે અને તે ત્રણેય નયોને પરસ્પર સમુદિત કર્યા વગર પૃથ ગ્રહણ કરવામાં આવે ત્યારે તે ત્રણેય નયો અન્યોન્યપક્ષનિરપેક્ષ છે. જેમ વૈડૂર્યાદિ મણિ પૃથભૂત હોય તો રત્નાવલી કહેવાતી નથી તેમ તે નયો યથાર્થ સ્વપક્ષને બતાવનારા હોવા છતાં પૃથર્ હોવાથી પ્રમાણે કહેવાતાં નથી. વળી કહ્યું કે ઇતરસવ્યપેક્ષવિષયપરિચ્છેદકાળમાં અન્યો નિરપેક્ષ નયો પ્રમાણપણાને પ્રાપ્ત કરતાં નથી. એનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ ઉપદેશક શ્રોતાને ભૂમિકા અનુસાર પ્રથમ એક નયનું કથન કરે, પરંતુ સર્વ નયોનું કથન કરે નહીં; છતાં તે એક નયનું કથન ઇતર નયની અપેક્ષાપૂર્વક સ્વવિષયના પરિચ્છેદનથી કરે, જેથી અન્ય નયનો અપલાપ થાય નહીં તો તે વખતે તે એક નયનું કથન સ્વવિષયના પરિચ્છેદનપણાથી સુવિનિશ્ચિત હોવા છતાં અન્ય નયના કથનોના સમુદાયરૂપ નહીં હોવાથી અન્યોન્યપક્ષનિરપેક્ષ તે તે નયોનું વચન છે; તે નયો સુનય હોવા છતાં સમુદાયરૂપે નહીં હોવાથી પ્રમાણ કહેવાતાં નથી. જેમ યોગ્ય ઉપદેશક યોગ્ય શ્રોતાને હિંસાનો બોધ કરાવવા અર્થે પ્રથમ માત્ર વ્યવહારનયની અહિંસાનું સ્વરૂપ બતાવે તે વખતે તે એક નયનું કથન પણ ઇતર નયનો અપલાપ ન થાય તે રીતે સ્વવિષયનું કથન કરે તો તે કથનનો કાળ ઇતરસવ્યપેક્ષ સ્વવિષયપરિચ્છેદકાળ છે અને તે કાળમાં તે એક નયનું કથન સ્વવિષયને યથાર્થ કહેનારું હોવાથી સુવિનિશ્ચિત છે તોપણ તે નયનું કથન પ્રમાણ સંજ્ઞાને પામતું નથી. અથવાથી ગાથાનો અર્થ અન્ય રીતે કરતા ટીકામાં કહ્યું કે ઇતર નિરપેક્ષ સામાન્ય આદિ રૂ૫ પોતાના વાદમાં હેતપ્રદર્શનમાં કુશળ એવા સુવિનિશ્ચિત નયો છે; આમ છતાં અન્યોન્યપક્ષનિરપેક્ષપણું હોવાના કારણે સુનય એ પ્રકારના સમ્યગ્દર્શન પદને સર્વ નયો પ્રાપ્ત કરતા નથી. આ કથન અનુસાર જે નયો પોતાનું સ્થાપન હેતુપ્રદર્શનપૂર્વક કરે છે, પરંતુ તે કથન અન્ય નયના અમલાપ પૂર્વક કરે છે, તેથી અન્યોન્યપક્ષનિરપેક્ષ છે તેવા નયો પૃથગુ હોવા છતાં અન્ય નયનો અપલાપ કરતાં હોવાથી સુનય કહેવાતા નથી, પરંતુ દુર્નય કહેવાય છે. વળી, જ્યારે વૈડૂર્યાદિ મણિઓ ગુણવિશેષની પરિપાટીથી=માળામાં શોભાની વૃદ્ધિ કરે તે પ્રકારના નીલાદિ વર્ણોરૂપ ગુણવિશેષથી ગોઠવાઈને, સૂત્રથી પરસ્પર બંધાયેલા હોય તો રત્નાવલી એ પ્રકારના નામને પ્રાપ્ત કરે છે અને “આ વૈડૂર્ય મણિ છે', ‘અન્ય મણિ છે' ઇત્યાદિ પ્રત્યેક નામનો ત્યાગ કરે છે. કેમ પ્રત્યેક નામનો ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – રત્નોની સાથે અનુવિદ્ધપણાથી રત્નાવલીની પ્રતીતિ છે અને રત્નાવલીની સાથે અનુવિદ્ધપણાથી રત્નોની પ્રતીતિ છે. પૃથ રત્નોની પ્રતીતિ નથી માટે તે રત્નાવલી કહેવાય છે, પરંતુ વૈર્યાદિ પ્રત્યેક રત્નો કહેવાતાં નથી. જેમ માળામાં ગોઠવાયેલા રત્નો રત્નાવલી કહેવાય છે તેમ નયવાદો પણ યથાઅનુરૂપ વિશેષરૂપે નિયુક્ત વક્તવ્યવાળા હોય તો “પ્રમાણ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, તેથી જેમ રત્નો માળાની શોભાની વૃદ્ધિ કરે તેમ ગોઠવાયેલા હોય તો રત્નાવલી કહેવાય છે તેમ નય પણ જે પ્રમાણે પૂર્વ પૂર્વ નયની સાથે ઉત્તર ઉત્તરના નયના સાદૃશ્ય સ્વભાવ હોય તે રીતે વિશેષથી યોજન કરીને કથન કરનારા હોય તો તે નયનો સમુદાય “સમ્યગ્દર્શન’ શબ્દને પ્રાપ્ત કરે છે="પ્રમાણ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, પરંતુ વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy