SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ એક-અનેક આત્મકરૂપે જ્ઞાનની પ્રતિપત્તિથી અત્યથા, માત્ર એકરૂપે અથવા માત્ર અનેકરૂપે, અપ્રતિપત્તિ છેઃચેતવ્યની અપ્રતિપત્તિ છે. ત્તિ' શબ્દ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. નનુ'થી ટીકામાં શંકા કરે છે કે લય-પ્રમાણાત્મક ચૈતન્યનું પ્રત્યક્ષસિદ્ધપણું હોવાના કારણે રત્નાવલી એ દગંતનું ગ્રહણ વ્યર્થ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું કેમ કે પ્રત્યક્ષસિદ્ધ પણ અનેકાંતને નહીં સ્વીકારનાર મતો પ્રત્યે વ્યવહારના સાધન માટે=અનેકાંતના વ્યવહારની સિદ્ધિ માટે, દાંતના ગ્રહણ, સાફલ્યપણું છે અને તેના વડે પણ રત્નાવલીના દાંત વડે પણ, ત્યા=અનેકાંતની સિદ્ધિમાં, અનેકાંતનો વ્યવહાર પ્રવર્તિત કરાયો. ૧/૨૪-૨પા ભાવાર્થ : જે પ્રમાણે ઘણા મૂલ્યવાળા એવા વૈડૂર્યાદિ મણિઓ હોય જેમાં વિષવિઘાતશક્તિ આદિ હોય, તેથી તે અનેક પ્રકારના લક્ષણવાળા કહેવાય. વળી, કોઈ નીલવર્ણવાળા હોય, કોઈ અન્ય વર્ણવાળા હોય છે મણિઓના ગુણ છે, જેનાથી તે શોભાયમાન દેખાતા હોય તેવા મહામૂલ્યવાળા મણિઓ પણ પૃથભૂત રહેલા હોય તો રત્નાવલીના વ્યપદેશને પામતા નથી, તેવી રીતે ભગવાનના શાસનમાં બતાવાયેલા સર્વ નયો આત્માના મોહરૂપ વિષના વિઘાતને કરવાની શક્તિવાળા છે કે અન્ય અન્ય પ્રકારની શક્તિવાળા છે=આત્મામાં યોગની અનેક ભૂમિકાને પ્રગટ કરી શકે તેવી શક્તિવાળા છે. વળી, વૈડૂર્યાદિ મણિઓ જેમ નીલ આદિ સુંદર રૂપવાળા છે જેથી શોભાયમાન થાય છે તેમ નૈગમાદિ નયો પોતપોતાના સ્થાનમાં સૂક્ષ્મ તત્ત્વોને બતાવનારા હોવાથી સુંદર ગુણવાળા છે. જેમ વૈડૂર્યાદિ મણિઓ મહામૂલ્યવાળા છે તેમ નૈગમાદિ નયો મહામૂલ્યવાળા છે; કેમ કે પરમાર્થથી પ્રાપ્તિ અતિદુર્લભ છે. પુણ્યશાળી લઘુકર્મી જીવો જ પારમાર્થિક એવા તે નયોને પ્રાપ્ત કરે છે, આમ છતાં જેમ વૈડૂર્યાદિ મણિઓ એકસૂત્રથી પરોવાયેલા ન હોય અને પૃથભૂત હોય તો તે વૈડૂર્યાદિ મણિઓ કહેવાય છે, પરંતુ રત્નાવલીના વ્યપદેશને પામતા નથી. તેમ પૃથભૂત એવા તે નવો નવો કહેવાય છે, પરંતુ પ્રમાણ' સંજ્ઞાને પામતા નથી. વળી, ટીકામાં કહ્યું કે પ્રમાણઅવસ્થામાં સુવિનિશ્ચિત પણ નયો અન્યોન્યપક્ષનિરપેક્ષ પ્રમાણસંજ્ઞાને પ્રાપ્ત કરતાં નથી. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ ઉપદેશક કોઈ શ્રોતાને પ્રમાણથી બોધ કરાવવા માટે સર્વ નયોનું વક્તવ્ય કરતાં હોય તે વખતે તે નયોનું વક્તવ્ય ક્રમસર થાય છે અને જે વખતે જે નયથી તેનું કથન કરાય તે વખતે તે નય પોતાના વિષયનો પરિચ્છેદક હોય છે. તે રીતે દરેક નો સ્વવિષયપરિચ્છેદકથી સુનિશ્ચિત હોવા છતાં અન્ય અન્ય પક્ષની સાથે નિરપેક્ષ ગ્રહણ કરીને તે તે નયનું કથન કરવામાં આવે તો તે તે નય પ્રમાણરૂપ છે તેમ કહેવાતું નથી. જેમ યોગ્ય ઉપદેશક હિંસાનો સર્વ નયથી બોધ કરાવવા માટે કોઈ યોગ્ય શ્રોતાને પ્રથમ વ્યવહારનયથી અહિંસા છ કાયના જીવો વિષયક છે એમ સમજાવે, ત્યારપછી ઋજુસૂત્રનયથી જીવનો ષકાયના રક્ષણનો પરિણામ તે અહિંસા છે તેમ સમજાવે, ત્યારપછી શબ્દાદિ નયોથી આત્માના સ્વભાવપ્રાણના રક્ષણને અનુકૂળ વ્યાપાર અહિંસા છે તેમ સમજાવે, ત્યારે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy