SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ નામને પ્રાપ્ત કરે છે અને પ્રત્યેકના નામનો ત્યાગ કરે છે=આ વૈફૂર્ય મણિ છે, આ અન્ય મણિ છે. ઇત્યાદિ પ્રત્યેકના નામનો ત્યાગ કરે છે. પ્રત્યેક અભિધાનનો કેમ ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરે છે – રત્નતા અનુવિદ્ધપણાથી રત્નાવલીની પ્રતીતિ હોવાના કારણે અને રત્નાવલીના અનુવિદ્ધપણાથી રત્નોની પ્રતીતિ હોવાને કારણે, રત્નાવલી' એ પ્રમાણે ત્યાં વ્યપદેશ છે, પરંતુ પ્રત્યેક અભિધાન નથી=આ વૈર્ય છે, આ અન્ય મણિ છે એ પ્રકારે કથન નથી. તે પ્રમાણે સર્વ તયવાદો યથા અનુરૂપ વિનિર્યુક્ત વક્તવ્યવાળા સમ્યગ્દર્શન શબ્દને=પ્રમાણ એ પ્રકારના નામને, પ્રાપ્ત કરે છે, વિશેષ સંજ્ઞાને પૃથભૂત નામોને પ્રાપ્ત કરતા નથી એમ ટીકામાં યોજન છે. યથાનુરૂપવિનિયુક્તવક્તવ્યા'નો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – “યથા' એ શબ્દ વીસા અર્થમાં છે અર્થાત્ “યથા યથા' એ પ્રકારના વીસા અર્થમાં છે. “અનું એ સાદગ્ય અર્થમાં છે. “રૂપ' એ સ્વભાવ અર્થમાં છે. તેની સાથે=રૂપની સાથે, અનુરૂપ એ પ્રકારનો અવ્યયીભાવસમાસ છે. વળી યથા’ શબ્દની સાથે તે જ છે=અવ્યયીભાવસમાસ છે. કઈ રીતે “યથા” શબ્દની સાથે અવ્યયીભાવસમાસ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – યથા અસ’ એ પ્રકારના આવા વડે એ પ્રકારના વ્યાકરણના સૂત્ર વડે, યથા શબ્દની સાથે અવ્યયીભાવસમાસ છે એમ અવય છે. આ રીતે “યથાઅનુરૂપ'નો અર્થ કર્યા પછી ‘વિનિયુક્તવક્તવ્યા” સાથેનો સમાસ સ્પષ્ટ કરે છે – યથા યથા અનુરૂપ છે તેમાં વિનિર્યુક્તકવિશેષરૂપે નિયોજન કરાયેલું, વક્તવ્ય છે જેને તે તેવા છે, અર્થાત્ ઉપચારથી તદ્વાચક શબ્દ છે જેને તે તેવા છે= થાતુરૂપવિતિર્યક્તવક્તવ્યવાળા છે. જ ટીકામાં ‘વત્ યદુ અનુરૂપ તત્ર છે તેના સ્થાને “વા યથા મનુષં તત્ર' પાઠ હોવાની સંભાવના છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. યથાનુરૂપવિનિર્યક્તવક્તવ્યવાળા સર્વ નયો છે એમ પૂર્વમાં કહ્યું, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – યથાઅનુરૂપ એવા દ્રવ્યતા ધ્રોવ્યાદિમાં પ્રમાણાત્મકપણાથી વ્યવસ્થિત છે તેવા સર્વ તયવાદો સમ્યગ્દર્શન શબ્દને=પ્રમાણ એ પ્રકારના કામને પ્રાપ્ત કરે છે, વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત કરતા નથી=પૃથફ પૃથફ વયના નામને પ્રાપ્ત કરતાં નથી. કેમ તે સર્વ નયો પ્રમાણ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે? પૃથક્ નયોની સંજ્ઞાને કેમ પ્રાપ્ત કરતાં નથી ? તેમાં હેતુ કહે છે – એક-અનેકાત્મકપણાથી દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેકાત્મકપણાથી, ચૈતવ્યની પ્રતિપત્તિ છે સર્વ તયોના યોજનપૂર્વક બોલનાર પુરુષને એક-અનેકાત્મકરૂપે જ્ઞાનની પ્રતિપત્તિ છે. અન્યથાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy