SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫, ૨૬ રીતે સિદ્ધ કરાયેલા પદાર્થમાં દૃષ્ટાંતની આવશ્યકતા છે. તેથી જે મહાત્મા પદાર્થને કોઈક નયની દૃષ્ટિથી જોતા હોય ત્યારે તે નયાત્મક ચૈતન્ય પોતાને સ્વસંવેદિત છે અને કોઈક પદાર્થને સર્વ નયોથી જોતાં હોય ત્યારે સર્વ નયો પરસ્પર ઉચિત રીતે જોડાઈને તે પદાર્થનો તે મહાત્માને પૂર્ણ બોધ થઈ રહ્યો છે તેમ સ્વસંવેદનથી જણાતું હોય ત્યારે તે નયનો બોધ છૂટાં રત્નો જેવો છે અને પ્રમાણનો બોધ રત્નાવલી જેવો છે એ પ્રકારનું કથન કહેવું વ્યર્થ છે. તે શંકાના નિવારણ માટે ટીકાકારશ્રી ખુલાસો કરે છે કે જે મહાત્માને નયષ્ટિનો ઉઘાડ છે અને પ્રમાણષ્ટિનો ઉઘાડ છે તેઓને નયનો ઉપયોગ કે પ્રમાણનો ઉપયોગ સ્વસંવેદિતસિદ્ધ હોવા છતાં જે દર્શનકારો અનેકાંતને સ્વીકારતા નથી તેઓને પદાર્થ અનેકાંતાત્મક છે તે પ્રકારના વ્યવહારની સિદ્ધિ કરાવવા માટે દૃષ્ટાંતને ગ્રહણ કરવાથી સુખપૂર્વક તેનો બોધ થાય છે. તેથી ગ્રંથકારશ્રીએ દષ્ટાંતને ગ્રહણ કર્યું છે તે સફળ છે. અવતરણિકામાં શંકા કરેલ કે સમુદાયના અભાવમાં નયો પરસ્પર વ્યાવૃતસ્વરૂપવાળા છે. એથી કોઈ નયમાં સમ્યક્ત થશે નહીં એમ ન કહેવું અને એમાં હેતુ આપેલ કે નયોની પ્રરૂપણા કરનાર ઉપદેશકના ચિત્તમાં રત્નાવલીની જેમ નવ-પ્રમાણાત્મક એકચૈતન્યની પ્રતિપત્તિ છે એ કથનને ગાથામાં બતાવે છે. એથી વિચારકને પ્રશ્ન થાય કે એવું કથન પ્રસ્તુત ગાથાઓમાં ક્યાં પ્રાપ્ત થાય છે ? તેનું તાત્પર્ય એ છે કે ગાથા૨૩ની ટીકામાં ગાથાના પૂર્વાર્ધનું કથન કરતાં કહ્યું તે પ્રમાણે કોઈ ઉપદેશક ઇતરસવ્યપેક્ષ વિષયના પરિચ્છેદકાલમાં સ્વવિષયપરિચ્છેદકપણારૂપે સુવિનિશ્ચિત પણ અન્યોન્યપક્ષનિરપેક્ષ કહે છે ત્યારે તે નયો પ્રમાણ' એ કથનને પ્રાપ્ત કરતાં નથી. એનાથી અર્થથી પ્રાપ્ત થયું કે તે નયો સુનયને પ્રાપ્ત કરે છે; કેમ કે ઉપદેશક શ્રોતાને કોઈક એક નયથી કથન કરે છે ત્યારે ઉપદેશના વિષયમાં સર્વ નયોનો સમુદાય નથી. જે વખતે જે નયનું કથન કરે છે એ વખતે અન્ય નયના કથનથી વ્યાવૃત એવા સ્વરૂપવાળું તે નયનું કથન કરે છે તોપણ ઉપદેશકને નય-પ્રમાણ સ્વરૂપ એક જ્ઞાનની પ્રતિપત્તિ રત્નાવલીની જેમ છે. માટે તે નયો સમ્યગ્દર્શન શબ્દસ્વરૂપ સુનયને પ્રાપ્ત કરે છે; કેમ કે ઉપદેશકથી શ્રોતાને તે નયના સ્થાને તે નયનો બોધ થયેલો છે, તેથી અન્ય નયના સ્થાનનો અપલાપ કરનાર નથી. ll૧/૨૨ થી ૨પ અવતરણિકા : दृष्टान्तगुणप्रतिपादनायाह - અવતરણિકાર્ય : દષ્ટાંતના ગુણને પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૨૨થી ૨૫ સુધી રત્નાવલીના દૃષ્ટાંતથી નય અને પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે નય-પ્રમાણનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંતથી કેમ બતાવ્યું છે ? તેથી દૃષ્ટાંતના ગુણોને બતાવવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy