SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ ષષ્કાયના જીવોની રક્ષા કરવી તે પર્કાયના પાલનરૂપ અહિંસા છે, ઋજુસૂત્રનયથી પદ્ધયના પાલનને અનુકૂળ અંતરંગ પરિણામ એ પદ્ધયના પાલનરૂપ અહિંસા છે અને શબ્દાદિ નયથી આત્માને રાગાદિભાવથી પર કરીને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યવૃત્તિ વર્તે તે પ્રકારનો સામ્યભાવનો પરિણામ અહિંસા છે. આવા બોધવાળો વક્તા પણ શ્રોતાને વ્યવહારનયથી પકાયના પાલનને અનુરૂપ એવી ક્રિયાઓનું સ્વરૂપ બતાવે ત્યારે વ્યવહારનયનો ઉપયોગ હોય છે તો પણ તે ઉપદેશકના ચિત્તમાં “આ નયનો આ ઉપયોગ છે, અન્ય નયનો આ ઉપયોગ છે અને પ્રમાણનો આ ઉપયોગ છે એ પ્રમાણે એકચૈતન્યની પ્રતિપત્તિ વર્તે છે. તેથી તે વક્તાનો એક નયનો વચનપ્રયોગ પણ તે નયથી શ્રોતાને બોધ કરવા અર્થે સ્વસ્થાનમાં વ્યાપારવાળો હોવા છતાં ઉચિત કાળે અન્ય નયનો બોધ કરાવીને પૂર્ણ બોધ કરવાને અનુકૂળ યત્નવાળો હોવાથી તે નયનો પ્રયોગ પણ પરસ્પર સાપેક્ષરૂપ હોવાથી મિથ્યા નથી. માટે પરે જે કહેલું કે “સમુદાયના અભાવમાં કોઈ નયમાં સમ્યક્ત નથી તે વચન યુક્ત નથી, એ બતાવવા માટે ગાથામાં કહે છે – અવતરણિકા : 'यद्वा यत् प्रत्येकं नयेषु न सम्यक्त्वम् तत् तेषां समुदायेऽपि न भवति, यथा सिकतासु प्रत्येकमभवत् तैलं तासां समुदायेऽपि न भवति' इत्यत्र हेतोरनैकान्तिकताप्रतिपादनार्थमाह - અવતરણિતાર્થ - ‘અથવાથી અન્ય પ્રકારે ટીકાકારશ્રી અવતરણિકા કહે છે – તયોમાંથી પ્રત્યેકમાં જે સમ્યક્ત તથી તે તે સમ્યક્ત, તેઓના સમુદાયમાં પણ નથી. જેમ રેતીના કણિયાઓમાંથી પ્રત્યેકમાં નહિ વર્તતું એવું તેલ તેના સમુદાયમાં પણ નથી એ કથનમાં હેતુની અનેકાંતિકતા પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ : કોઈક અનુમાન કરે કે “નયોના સમુદાયમાં સમ્યક્ત નથી; કેમ કે પ્રત્યેક નયોમાં સમ્યક્ત નથી. જેમ પ્રત્યેક એવા રેતીના કણિયામાં તેલ નથી તેથી રેતીના સમુદાયમાં પણ તેલ નથી' આ પ્રકારના અનુમાનમાં જે પૂર્વપક્ષીએ હેતુ આપેલ કે પ્રત્યેક નયમાં સમ્યક્ત નથી એ હેતુ એકાંતિક નથી, પરંતુ અનેકાંતિક છે અર્થાતુ રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નહીં હોવાના કારણે રેતીના સમુદાયમાં તેલ નથી તે સ્થાનમાં હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ હોવા છતાં અન્ય સ્થાનમાં તે હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ નથી તે પ્રકારે અનેકાંતિકતાને બતાવવા માટે ગાથામાં કહે છે – ગાથા : जहऽणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।१/२२।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy