SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧, ૨૨-૨૩-૨૪-૨૫ વળી, સર્વ નયો અન્યોન્યનિશ્રિત હોય અર્થાત્ પોતાના વિષયથી અન્ય નયના વિષયનો એકાંત પરિત્યાગ કરતાં ન હોય, પરંતુ ગૌણરૂપે પરના વિષયને સ્વીકારીને પોતાના વિષયનું સ્થાપન કરતાં હોય તો તે નયો યથાવસ્થિત વસ્તુના બોધરૂપ સમ્યક્તના સદ્ભાવવાળા છે, તેથી પરસ્પર સંબંધી એવા નયોના બોધમાં બંધાદિની અનુપપત્તિ નથી. ૧/૨ અવતરણિકા - न च समुदायाभावे नया एव परस्परव्यावृत्तस्वरूपा इति न क्वचित् सम्यक्त्वम्, नयप्रमाणात्मकैकचैतन्यप्रतिपत्तैः रत्नावलीवत् इत्येतदाह - અવતરણિકાર્ય : અને સમુદાયના અભાવમાં વયો જ પરસ્પર વ્યાવૃત સ્વરૂપવાળા છે એથી કોઈમાં પણ=કોઈ તયમાં પણ, સમ્યક્ત નથી એ પ્રમાણે ન કહેવું; કેમ કે રત્નાવલીની જેમ લય-પ્રમાણાત્મક એક ચેતવ્યની પ્રતિપત્તિ છે. તેને કહે છે – ભાવાર્થ : કોઈક પુરુષ કોઈક નયથી વિવક્ષા કરે ત્યારે તે વિવક્ષા કરનાર પુરુષના કથનમાં સર્વ નયોના સમુદાયનો અભાવ હોય છે. તે વખતે તે પુરુષ જે નયથી કથન કરે છે તે નયના વક્તવ્યની મર્યાદાનુસાર કરે છે, પરંતુ અન્ય નયના વક્તવ્યની મર્યાદા અનુસાર કહેતો નથી. આ રીતે ભિન્ન ભિન્ન નો સમુદાયરૂપે વિદ્યમાન ન હોય ત્યારે પોતપોતાના સ્થાનને કહેવામાં પ્રવૃત્ત હોવાથી પરસ્પર વ્યાવૃતસ્વરૂપવાળા છે અર્થાત્ અન્ય નયોના વક્તવ્યથી વ્યાવૃત સ્વરૂપવાળા પ્રત્યેક નયો છે. તેથી કોઈ પણ નયમાં સમ્યક્ત નથી; કેમ કે પરિપૂર્ણ પદાર્થને યથાર્થરૂપે જોવું એ રૂપ સમ્યક્ત, નયોનો સમુદાય હોય તો જ પ્રાપ્ત થઈ શકે, સમુદાયનો અભાવ હોય તો પ્રાપ્ત થઈ શકે નહીં, એ પ્રમાણે ન કહેવું. કેમ ન કહેવું ? તેમાં હેતુ કહે છે – રત્નાવલીની જેમ નવ-પ્રમાણરૂ૫ એકચૈતન્યની પ્રતિપત્તિ છે. આશય એ છે કે કોઈક પ્રામાણિક વક્તા શ્રોતાને વ્યુત્પન્ન કરવા અર્થે કોઈક ભૂમિકામાં એક નયનું પ્રતિપાદન કરે છે તે વખતે તે વક્તાનો ઉપયોગ એક નયને કહેવામાં પ્રવૃત્ત હોવા છતાં તેના જ્ઞાનનો ઉપયોગ નય-પ્રમાણ સ્વરૂપ એકચૈતન્યના સ્વીકારરૂપ છે. જેમ રત્નાવલીમાં રહેલા દરેક રત્નને જોવાનો ઉપયોગ હોય ત્યારે રત્નાવલીમાં રહેલા પ્રત્યેક રત્ન પૃથગુરૂપે દેખાય છે અને રત્નાવલી રત્નોના સમુદાયરૂપ પણ દેખાય છે તેમ વચનપ્રયોગકાળમાં તે બોલનાર પુરુષ તે તે નયનું વક્તવ્ય કરે છે ત્યારે અંતરંગ રીતે ઉપસ્થિત હોય છે કે “બોલાયેલું આ વચન નયનું વચન છે, પ્રમાણનું વચન પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે તે પ્રકારનું છે', એ પ્રકારના એકચૈતન્યની પ્રતીતિસ્વરૂપ તેનો બોધ છે. જેમ કોઈ ઉપદેશક સ્યાદ્વાદની મર્યાદા અનુસાર બોધવાળો હોય કે વ્યવહારનયથી બાહ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy