SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા૨૦, ૨૧ પરંતુ તત્ત્વને જોનારા છે. માટે યોગીઓની ઉચિત પ્રવૃત્તિઓથી નક્કી થાય છે કે સંસાર છે અને સંસારનું કારણ બંધ છે અને બંધ છે માટે આત્મા એકાંતે નિત્ય નથી કે એકાંતે ક્ષણિક નથી, પરંતુ પરિણામ છે, એમ માનવું જોઈએ. વળી, યોગીઓનો સંસારનો ભય જો વંધ્યાસુતથી જનિત એવા બાધાના વિષયના પર્યાલોચનની જેમ મિથ્યાજ્ઞાનરૂપ હોય તો મિથ્યાજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ વિસંવાદી જ હોય અર્થાત્ તે પ્રવૃત્તિ દ્વારા સંસારની નિવૃત્તિરૂપ ફળ સંભવે નહીં. માટે બંધ વગર સંસારથી નિવૃત્તિની ઇચ્છા અને સંસારથી નિવૃત્તિના સુખની પ્રાર્થના થાય નહીં. આવું સ્વીકારીએ તો મોક્ષ પણ અનુપપન્ન છે; કેમ કે જેમ નિરપરાધી પુરુષ બેડી આદિથી બદ્ધ નહીં હોવાના કારણે તેનો મોક્ષ સંભવે નહીં તેમ કર્મબંધ વગરના પુરુષનો મોક્ષ સંભવે નહીં. વળી, સર્વ દર્શનકારો મોક્ષાર્થે ઉપદેશ આપે છે માટે મોક્ષની સંગતિ સ્વીકારીએ તો બંધ સ્વીકારવો પડે અને બંધ સ્વીકારવો હોય તો આત્માને એકાંતનિત્ય કે એકાંતઅનિત્ય સ્વીકારી શકાય નહીં; કેમ કે એકાંતપક્ષમાં પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાત્મક બંધના હેતુ એવા યોગ અને કષાયનો વિરોધ છે અર્થાત્ નિત્ય એવો આત્મા તે તે ભાવરૂપે પરિણમન પામતો હોય તો યોગ-કષાયરૂપ આત્માના પરિણામો સ્વીકારી શકાય, પરંતુ એકાંતનિત્ય આત્માને પરિણામોત્તરની અપ્રાપ્તિ હોવાથી કે એકાંતક્ષણિક આત્માને પરિણામોત્તરની અપ્રાપ્તિ હોવાથી યોગ-કષાયરૂપ પરિણામો સંભવે નહીં. અહીં એકાંત નિત્યવાદી કહે કે જગત બ્રહ્મ એકસ્વરૂપ છે એથી બંધાદિના અભાવનું કથન અમારા નિત્યવાદમાં દોષવાળું નથી. તેનું નિરાકરણ કરતા ટીકાકારશ્રી કહે છે – ચેતન અચેતનાદિ ભેદરૂપ જગતની પ્રતીતિ છે. માટે બ્રહ્મ એકરૂપ જગત છે તેમ સ્વીકારી શકાય નહીં. અહીં બ્રહ્માદ્વૈતવાદી કહે કે દ્વૈતની પ્રતિપત્તિ અવિદ્યાથી નિર્મિત છે માટે મિથ્યા છે. તેને ટીકાકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે અદ્વૈતમાં અવિદ્યાના બોધના જનનનો વિરોધ છે. અને અવિદ્યાના બોધનું જનન સ્વીકારવામાં આવે તો બ્રહ્મથી અતિરિક્ત અવિદ્યાનો બોધ પ્રાપ્ત થાય અને કહેવામાં આવે કે અવિદ્યાની પ્રતિપત્તિ થાય છે તો બ્રહ્મ અને અવિદ્યાનું જ્ઞાન એમ બેની પ્રાપ્તિ થવાથી વૈતની પ્રાપ્તિ થાય. માટે બ્રહ્મ એકરૂપ છે તેમ કહી શકાય નહીં એ પ્રમાણે બ્રહ્માદ્વૈતવાદ પૂર્વમાં નિરાકૃત છે, તેથી ટીકાકારશ્રી ફરી તેનો વિસ્તાર કરતાં નથી. II૧/૨૦ અવતરણિકા : तदेवमेकान्ताभ्युपगमे बन्धहेत्वाद्यनुपपत्तेरैहिकाऽऽमुष्मिकसर्वव्यवहारविलोपः इत्येकान्तव्यवस्थापकाः सर्वेऽपि मिथ्यादृष्टयो नयाः अन्योन्यविषयाऽपरित्यागवृत्तयस्तु त एव सम्यक्त्वं प्रतिपद्यन्त इत्युपसंहरनाह - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy