SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૦. અને બંધનો અભાવ છે; કેમ કે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાત્મક બંધના હેતુ એવા યોગકષાયનું એકાંતપક્ષમાં વિરુદ્ધપણું, છે અર્થાત્ આત્મા એકાંતનિત્ય હોય કે આત્મા એકાંતક્ષણિક હોય તો બંધના હેતનું વિરુદ્ધપણું છે અને બ્રહ્મનું એકરૂપપણું હોવાથી બંધાદિ અભાવની પ્રેરણા એકાંતનિત્યપક્ષમાં બંધાદિ અભાવનું કથન, દોષ માટે નથી એમ ન કહેવું; કેમ કે ચેતત-અચેતન આદિના ભેદરૂપપણાથી જગતની પ્રતિપતિ છે અને અવિવાથી નિર્મીતપણું હોવાનાં કારણે ભેદની પ્રતિપતિ મિથ્યા છે; એ પ્રમાણે ન કહેવું; કેમ કે અવિદ્યાની પ્રતિપતિના જતનનો વિરોધ છે=બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ હોય તો અવિદ્યાના જ્ઞાનના જતનનો વિરોધ છે. અવિરોધ હોતે છતે અવિદ્યાના જ્ઞાનના જતનનો અવિરોધ હોતે છતે, વિદ્યારૂપતાની પ્રાપ્તિ હોવાથી અવિદ્યાના જ્ઞાનની પ્રાપ્તિ હોવાથી, દ્વૈતની પ્રાપ્તિ છે=બ્રા અને બ્રહ્મથી અતિરિક્ત અવિઘા એમ Àતની પ્રાપ્તિ છે, એ પ્રમાણે પ્રતિવિહિત અદ્વૈતવાદ છે એ પ્રમાણે પૂર્વમાં નિરાકરણ કરાયેલો અદ્વૈતવાદ છે, એથી ફરી વિસ્તાર કરાતો નથી. II૧/૨૦૧ી. ભાવાર્થ - પૂર્વ ગાથામાં કહ્યું એ પ્રમાણે એકાંતપક્ષમાં બંધનો અભાવ થયે છતે જન્મ મરણાદિના પ્રત્યયરૂપ સંસારમાં વિવેકી પુરુષોને ભીતિનું પ્રાચર્ય દેખાય છે તે મૂઢતા છે તેમ સ્વીકારવું પડે અથવા સંસારની નિષ્પત્તિના કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગમાં જે ભયનું પ્રાચુર્ય છે તેને મૂઢતારૂપે સ્વીકારવા પડે. આશય એ છે કે તત્વના અવલોકનથી જે જીવોમાં નિર્મલ પ્રજ્ઞા પ્રગટી છે તે જીવોને ચારગતિના પરિભ્રમણરૂપ સંસારનો અત્યંત ભય પ્રગટે છે અને સંસારના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવોમાં અત્યંત ભય પ્રગટે છે. તેથી સંસારના ઉચ્છેદના અર્થી તે જીવો સતત સન્શાસ્ત્રોનું અધ્યયનાદિ કરીને પોતાનામાં સંસાર નિષ્પત્તિના કારણભૂત એવા મિથ્યાત્વાદિ પાંચ ભાવોને આત્મામાંથી દૂર કરવા માટે યત્ન કરે છે, જે યત્નને સર્વ શિષ્ટ પુરુષો બુદ્ધિમાનની પ્રવૃત્તિરૂપ સ્વીકારે છે. આમ છતાં જો આત્મા એકાંતનિત્ય હોય અથવા એકાંતઅનિત્ય હોય તો પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે બંધના અભાવની પ્રાપ્તિ થાય. બંધનો અભાવ હોય તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય અને સંસારનો અભાવ હોય છતાં જે યોગીઓને સંસારમાં અત્યંત ભય છે તે તેઓની મૂઢતા છે તેમ માનવું પડે અને એકાંતપક્ષમાં બંધના કારણો ઘટે નહીં. તેથી સંસારના કારણ એવા મિથ્યાત્વાદિ પણ ન હોય; આમ છતાં તે યોગીઓને મિથ્યાત્વાદિ ભાવોમાં જે અત્યંત ભય છે તે તેઓની મૂઢતા છે તેમ માનવું પડે; કેમ કે એકાંતપક્ષમાં અનુપપદ્યમાન એવા સંસારના દુઃખના સમૂહ વિષયક તે ભય છે. તેથી જે વિષય ન હોય તેવા વિષયમાં ભય તે મૂઢતા છે તેમ માનવું પડે. જેમ સાપ હોય નહીં છતાં સાપનો ભય લાગે તે મૂઢતા છે તેમ સંસાર હોય નહીં છતાં સંસારના વિષયમાં યોગીઓને ભય લાગે છે તે યોગીઓની મૂઢતા છે તેમ માનવું પડે. વસ્તુતઃ યોગીઓ મૂઢ નથી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy