SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯, ૨૦ ૭૯ ક્ષણિકવાદી બૌદ્ધ એક સાથે બે વિકલ્પ માનતો નથી. તેથી જે વખતે જે વિકલ્પ વર્તતો હોય તેનાથી અન્ય વિકલ્પ સંભવી શકે નહીં. અને આત્માની અનુગત પ્રતીતિ જો માનસ વિકલ્પરૂપ સ્વીકારીએ તો ક્ષણિકત્વના નિશ્ચયના સમયમાં આત્માના એકત્વનો પ્રત્યયરૂપ માનસવિકલ્પ પ્રાપ્ત થાય નહીં અને ક્ષણિકત્વના નિશ્ચયના સમયમાં આ સર્વ ક્ષણોમાં હું એક છું એવો માનસ વિચા૨ સર્વને સ્વઅનુભવથી પ્રતીત છે આથી જ, ઉત્તરના ફળની પ્રાપ્તિનો અર્થી જીવ વર્તમાનમાં ઉત્તરના ફળ અર્થે યત્ન કરે છે. માટે એકત્વનો પ્રત્યય માનસવિકલ્પરૂપ નથી, પરંતુ સ્વઅનુભવનો વિષય છે. ટીકાના સર્વ કથનનો ફલિતાર્થ કહે છે આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, એકાન્તનિત્યપક્ષના અને એકાંતઅનિત્યપક્ષના વ્યુદાસથી= નિરાકરણથી, ઉભય પક્ષમાં જ=આત્મા દ્રવ્ય-પર્યાયરૂપ છે એ રૂપ ઉભય પક્ષમાં જ, કર્મબંધનું કારણ એવો યોગ અને કર્મની સ્થિતિનું કારણ એવા કષાયો યુક્તિસંગત થાય છે. ૧/૧૯૫ — અવતરણિકા : किञ्च, एकान्तवादिनां संसारनिवृत्तितत्सुखमुक्तिप्राप्त्यर्था प्रवृत्तिश्चासङ्गतेत्याह અવતરણિકાર્ય : વળી, એકાન્તવાદીઓની સંસારથી નિવૃત્તિ અર્થવાળી પ્રવૃત્તિ અને તત્સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થવાળી પ્રવૃત્તિ અસંગત છે. એને કહે છે ભાવાર્થઃ યોગીઓ સંસા૨થી નિવૃત્તિ અર્થે પ્રવૃત્તિઓ કરે છે અને સંસારની નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરે છે. અને જો આત્માને એકાન્તનિત્ય સ્વીકારવામાં આવે તો આત્મામાં કોઈ પરિવર્તન થતું નહીં હોવાથી સંસારની નિવૃત્તિ થઈ શકે નહીં અને સંસારની નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. વળી, આત્મા ક્ષણિક હોય તો કોઈ વિચારક સંસારની નિવૃત્તિ અર્થે પ્રવૃત્તિ કરે નહીં કે સંસારથી નિવૃત્તિના સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે ક્ષણ પછી સ્વતઃ વિનાશશીલને આગામીના ફળ માટે પ્રવૃત્તિ સંભવે નહીં. તે બતાવવા અર્થે કહે છે ગાથા : છાયા : Jain Educationa International बंधम्मि अपूरन्ते संसारभओघदंसणं मोज्झं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ।।१ / २० ।। बंधे वाऽसति संसारभयोघदर्शनं मोठ्यं । बन्धं वा विना मोक्षसुखप्रार्थना नास्ति मोक्षः च ।।१ / २० ।। For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy