SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ છે તેવો બોધ થાય ત્યારે રજતનો ભ્રમ નિવર્તન પામે છે, તેમ “હું ક્ષણિક છું' એવું તત્ત્વજ્ઞાન થાય તો મિથ્યાજ્ઞાન નિવર્તન પામવું જોઈએ. વળી, ‘હું ક્ષણિક છું' તેવું જ્ઞાન કર્યા પછી પણ દ્વેષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એકચૈતન્યની પ્રતીતિ સર્વ જીવોને હોવાના કારણે મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એમ સ્વીકારવામાં આવે તો બૌદ્ધને અભિમત ક્ષણિકત્વનું પ્રમાણજ્ઞાન દ્વેષ આદિ ભાવોમાં અનુગત એવા આત્માની પ્રતીતિરૂપ અપ્રમાણજ્ઞાનનું બાધક થાય નહીં. અને જો ક્ષણિકત્વના અનુમાનરૂપ પ્રમાણજ્ઞાન અનુગત આત્માની પ્રતીતિનું બાધક થાય નહીં તો માનવું પડે કે ક્ષણિકત્વનું કરાયેલું અનુમાન પ્રામાણિક નથી, પરંતુ મિથ્યા છે. વળી ‘પદાર્થ માત્ર પર્યાયરૂપ જ છે દ્રવ્યરૂપ નથી' એમ માનનાર ક્ષણિકવાદનો મત યુક્ત નથી તે બતાવવા માટે ટીકાકારશ્રી કહે છે - ક્ષણ પછી હું ક્ષય પામનાર છું” તેવો નિશ્ચય થયે છતે ‘તે જ હું છું'= બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું' એ પ્રત્યય યુક્ત નથી, પરંતુ તેના જેવો છું’ એ પ્રકારનો પ્રત્યય થવો જોઈએ અર્થાત્ બાલ્યાવસ્થામાં જે હું હતો તે નાશ પામ્યો, પરંતુ તેના સંતાનરૂપે તેના જેવો હું છું’ એ પ્રકારની પ્રતીતિ થવી જોઈએ. ક્ષણ ક્ષયના નિશ્ચયમાં “સ ની પ્રતીતિ થવી જોઈએ તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ‘વ’નો નિશ્ચય થયે છતે આ ગાય છે” એ પ્રત્યય થતો નથી, પરંતુ આ ગાય જેવો છે તેવી પ્રતીતિ થાય છે તેમ બાલ્યાવસ્થાના સદશ એવા ઉત્તરના સંતાનમાં તેના જેવો છે તેમ પ્રતીતિ થવી જોઈએ, પરંતુ ‘તે જ હું છું' એવી પ્રતીતિ થવી જોઈએ નહીં. ક્ષણિકવાદી ‘આત્મા ક્ષણિક છે” તેને સ્થાપન કરવા અર્થે કહે કે ક્રમવર્તી રાગ-દ્વેષાદિ પર્યાયોમાં ચૈિતન્યની અનુગતતાની પ્રતીતિનું માનસપણું છે અર્થાત્ માનસ વિકલ્પથી તેવી પ્રતીતિ થાય છે, વાસ્તવિક નથી. જેમ સ્વપ્નાદિમાં ભોગાદિ કર્યા ન હોય છતાં માનસ વિકલ્પથી ભોગનો અનુભવ થાય છે તેમ રાગ દ્વેષાદિ બધા ભાવોમાં અનુગત “હું છું' એવો માનસ વિકલ્પ થાય છે. માટે માનસ વિકલ્પના બળથી પર્યાયોમાં અનુગત આત્મા છે એમ સિદ્ધ થાય નહીં. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે આત્મામાં ક્ષણક્ષયના અનુમાનથી “આત્મા ક્ષણિક છે' તેવો નિશ્ચય થવા છતાં પણ ત્યારે જ સ્પષ્ટ અનુગત ચૈતન્યની પ્રતીતિ છે. આશય એ છે કે ક્ષણિકવાદી બૌદ્ધના વચનાનુસાર આત્મા ક્ષણમાં નાશ પામે છે તેવો નિશ્ચય થવા છતાં તે બૌદ્ધશાસ્ત્રની યુક્તિને સાંભળનાર અને તેનાથી આત્માના ક્ષણક્ષયનું અનુમાન કરનાર અને તે અનુમાનથી ક્ષણક્ષયનો નિશ્ચય કરનાર એવો હું એક છું એ પ્રમાણે સર્વ વિચારકોને ત્યારે જ સ્પષ્ટ અનુભવ વર્તે છે. માટે ચૈતન્યના અનુગતની પ્રતીતિરૂપ વિકલ્પ અને બૌદ્ધમતની યુક્તિથી હું ક્ષણિક છું એ પ્રકારનો વિકલ્પ એમ બે વિકલ્પ એકસાથે સંગત થાય નહીં. તે બતાવવા ટીકાકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy