SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અનુમાનથી દ્રષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એકચૈતન્યની સિદ્ધિ થયા પછી અનુગત એક પ્રતીતિ આરોપિત છે તેવી બુદ્ધિ થઈ શકે નહીં. તે બતાવવા અર્થે કહે છે – અનુમાનથી નિશ્ચિત અર્થમાં આરોપબુદ્ધિ થાય નહીં. જેમ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિ છે તેવો નિર્ણય થયા પછી પર્વતમાં અગ્નિ આરોપિત છે, વાસ્તવિક નથી તેવી બુદ્ધિ થાય નહીં તેમ પોતાના આત્મામાં વર્તતા દ્વેષ, ગર્વાદિ ભાવોમાં સંશય, વિપર્યય, અઢજ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યની પ્રતીતિ છે તેના બલથી દ્વેષાદિ પર્યાયોમાં અનુગત આત્મા છે તેવું અનુમાનથી નિશ્ચિત કર્યા પછી દ્વેષાદિ ભાવોમાં અનુગત આત્મા આરોપિત છે તેવી આરોપબુદ્ધિ થઈ શકે નહીં. માટે આત્માની અનુગત પ્રતીતિ મિથ્યારોપ છે તેમ જે ક્ષણિકવાદી કહે છે તે યુક્ત નથી. અહીં પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાથી વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. પૂર્વપક્ષીનો આશય એ છે કે દ્વેષ, ગર્વાદિ પર્યાયોથી અતિરિક્ત આત્મા નથી; આમ છતાં દ્રષ, ગર્વાદિ પર્યાયોમાં અનુગત આત્મા છે એ પ્રકારનું મિથ્યાજ્ઞાન આત્મામાં સહજભાવથી વર્તે છે. તેથી પર્યાયથી અતિરિક્ત અનુગત દ્રવ્ય નથી એવા વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ કરવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી માટે મિથ્યાજ્ઞાનથી જે આત્મા નિત્ય છે એવો મિથ્યા અધ્યારોપ થયો છે તેના હાન માટે યત્ન આવશ્યક છે એ પ્રકારે ક્ષણિકવાદી કહે તો ટીકાકારશ્રી કહે છે – તે પ્રમાણે સ્વીકાર કરાય છતે બોધના સંતાનની જેમ મિથ્યાજ્ઞાનની સર્વદા અનિવૃત્તિ થશે. તેથી અમુક્તિની પ્રાપ્તિ થશે. ટીકાકારશ્રીનો આશય એ છે કે મિથ્યાજ્ઞાન સહજ છે તેમ સ્વીકારવામાં આવે તો જેમ બોધનું સંતાન સહજ છે તેમ મિથ્યાજ્ઞાન પણ સહજ છે અને ક્ષણિકવાદીના મતાનુસાર બોધનું સંતાન નિવર્તન પામતું નથી તેમ મિથ્યાજ્ઞાનની પણ સર્વદા નિવૃત્તિ થઈ શકે નહીં. માટે મિથ્યા અધ્યારોપના હાન માટે યત્ન કરવો જોઈએ તેમ કહેવા છતાં તેના હાન માટે કરાયેલા યત્નથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં તો અમુક્તિનો પ્રસંગ આવે અર્થાત્ ક્ષણિકવાદી કહે છે કે મિથ્યાજ્ઞાનના અધ્યારોપના દાનમાં યત્ન કરવાથી પોતે મુક્ત થનાર નહીં હોવા છતાં પોતાના સંતાનને મુક્તિની પ્રાપ્તિ થશે તે વચન સમ્યક સિદ્ધ થાય નહીં. અને મુક્તિની સંગતિ માટે પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાન અસહજ છે તો તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં તે મિથ્યાજ્ઞાન અવશ્ય નિવર્તન પામે છે તેમ પૂર્વપક્ષીએ માનવું જોઈએ જેમ શક્તિનો બોધ થયે છતે શુક્તિમાં થયેલ રજતનો ભ્રમ નિવર્તન પામે છે. વળી, જો શક્તિનો બોધ હોવા છતાં પણ શક્તિમાં થયેલ રજતનો ભ્રમ નિવર્તન પામતો ન હોય તો શક્તિના બોધરૂપ પ્રમાણજ્ઞાન છે તે રજતના ભ્રમરૂપ અપ્રમાણજ્ઞાનનું બાધક થાય નહીં. આશય એ છે કે આત્મા નિત્ય છે એ મિથ્યાજ્ઞાન અસહજ છે એમ ક્ષણિકવાદી સ્વીકારે તો ક્ષણિકવાદીના મતાનુસાર આત્મા ક્ષણિક છે એવું તત્ત્વજ્ઞાન પ્રગટ થાય ત્યારે અસહજ એવું હું નિત્ય છું” એ પ્રકારનું મિથ્યાજ્ઞાન નિવર્તન પામવું જોઈએ અર્થાત્ જેમ શુક્તિમાં રજતનો ભ્રમ થયેલો હોય ત્યારપછી આ શુક્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy