SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અદૃઢ જ્ઞાનના અવિષયકૃત એવા એકચૈતન્યનો અનુભવ છે. તેથી દ્વેષ, ગર્વ આદિ ભાવોરૂપ પર્યાયો એકચૈતન્યરૂપ આત્મદ્રવ્યમાં વર્તે છે તેમ સિદ્ધ થાય છે. છતાં તેનો અપલાપ કરીને દ્રવ્ય રહિત માત્ર પર્યાય સ્વીકારવામાં આવે તો બંધની સ્થિતિનું કારણ યોગ અને કષાય છે તે સિદ્ધ થાય નહીં. અહીં કહ્યું કે દ્વેષાદિભાવો સ્વસંવેદનસિદ્ધ છે અને તેના અનુભવ કરનારને સંશય, વિપર્યય અને અદઢ જ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યનો અનુભવ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને દ્વેષાદિ ભાવો સ્વસંવેદન પ્રત્યક્ષ છે અને ‘તે સર્વનો આધાર એક હું છું' એ બોધ સ્પષ્ટ રીતે બધાને વર્તે છે. કોઈ વિચારકને સંશય, વિપર્યય અથવા અદૃઢ જ્ઞાનનો વિષય નથી, પરંતુ સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે. તેથી દ્વેષ આદિ ભાવો અનુગત એક ચેતના અવશ્ય સ્વીકારવી જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે દ્વેષાદિ ભાવોમાં એકચૈતન્યનો અનુભવ છે તે ભ્રાંત છે માટે પર્યાયથી અતિરિક્ત આત્મા નથી. તેના નિરાકરણ માટે ટીકાકારશ્રી કહે છે બાધારહિત અનુભવના વિષયનો અપલાપ કરી શકાય નહીં. જેમ શક્તિમાં રજતનું જ્ઞાન થયેલું હોય અને પ્રત્યક્ષથી જોયા પછી ‘આ રજત નથી શક્તિ છે' તેવો નિર્ણય થાય તો પૂર્વના જ્ઞાનને મિથ્યા સ્વીકારી શકાય, પરંતુ દ્વેષાદિ ભાવમાં એકચૈતન્યનો અનુભવ છે તે પ્રમાણ નથી, એમ સ્વીકારવા માટે કોઈ બાધાની ઉપસ્થિતિ થતી ન હોય છતાં તે અનુભવનો અપલાપ ક૨વામાં આવે તો સંસારી જીવોને સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે તે પણ ભ્રાંત છે તેમ કહીને તેના અપલાપનો પ્રસંગ છે. અને જો આવું સ્વીકારીએ તો તેની જેમ જ પ્રમાણપ્રમેયાદિ વ્યવહારનો ઉચ્છેદ પ્રાપ્ત થાય; કેમ કે સર્વ અનુભવો ભ્રાંત છે તેમ સ્વમતિ કલ્પનાથી સ્થાપન ક૨વામાં આવે તો કયું જ્ઞાન પ્રમાણ છે કયું જ્ઞાન અપ્રમાણ છે એ પ્રકારનો વ્યવહા૨ થઈ શકે નહીં. અને સ્વસંવેદનથી અનુભવાતું જ્ઞાન પ્રમાણભૂત છે એમ સ્થાપન ન થઈ શકે તો તેના વિષયભૂત આ પ્રમેય છે તેમ પણ સિદ્ધ થાય નહીં, જેથી લોકમાં પ્રમાણપ્રમેયનો વ્યવહાર થાય છે તે સર્વનો ઉચ્છેદ પ્રાપ્ત થાય. માટે બાધા રહિત અનુભવનો અપલાપ કરવો ઉચિત નથી. વળી, પર્યાયમાત્રને સ્વીકારનાર દ્રવ્યનો અપલાપ કરનાર ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે નૈરાત્મદર્શનથી જ મોક્ષ છે. નૈરાત્મદર્શન સ્વીકારીએ તો આત્મા નથી તેનું દર્શન મોક્ષનું કારણ છે તેમ માનવું પડે. તેથી મુક્તિને પામનાર આત્મા નથી, આમ છતાં પોતે ક્ષણિક છે તોપણ નિત્ય છે તે પ્રકારનો જે મિથ્યા અધ્યારોપ છે તેના ત્યાગ માટે ક્ષણિકવાદના ઉપદેશનો યત્ન છે એમ જેઓ કહે છે તે પણ આના દ્વારા જ=બાધા રહિત અનુભવનો અપલાપ કરવો ઉચિત નથી એના દ્વારા જ, પ્રતિવિહિત છે=નિરાકૃત છે; કેમ કે દ્વેષ, ગર્વ આદિ પ્રતિક્ષણ પરાવર્તન થતાં ભાવોમાં અનુગત એકચૈતન્યના અનુભવરૂપ યથોક્ત પ્રતિપત્તિ હોવાથી મિથ્યાત્વની અસિદ્ધિ છે અર્થાત્ દ્વેષ, ગર્વ આદિ ભાવોમાં અનુગત એવા જ્ઞાનના વિષયભૂત એકચૈતન્યનો અનુભવ મિથ્યા છે તેની સ્થાપક કોઈ યુક્તિ નથી. માટે પ્રતિક્ષણ પરાવર્તન પામતાં દ્વેષાદિ ભાવોમાં એક અનુગત આત્મા છે તેમ સ્વીકારવું ઉચિત છે. દ્વેષ, ગર્વાદિ ભાવોમાં અનુગત એવા એકચૈતન્યની પ્રતિપત્તિ મિથ્યા નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy