________________
૧૮
ગણિત-રહસ્ય ચતુર હતું, એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં દક્ષિણાનું નામ ન પાડતાં નીચે પ્રમાણે વિનંતિ કરી?
“હે મહારાજ ! મેં આ કાગળમાં નાનામાં નાના ગણાતા ત્રણ સમાન અંકે લખ્યા છે, પણ શ્રી ગજાનન પિતાની એક બાજુ રિદ્ધિ અને બીજી બાજુ સિદ્ધિ વિના શેભતા નથી, તેમ આ અંકે પણ બંને બાજુ શૂન્ય વિના શેભતા નથી. માટે કૃપા કરીને આપના શુભ હસ્તે દરેક અંકની આગળ-પાછળ અકેકું શૂન્ય ઉમેરી દો અને તેના જેટલા સોનૈયા મને દક્ષિણમાં આપ. મારે આથી વિશેષ કંઈ જોઈતું નથી.”
રાજાને એ ખ્યાલ હતો કે શૂન્યનું મૂલ્ય કંઈ પણ હોતું નથી, એટલે તેણે એ વૃદ્ધ વિપ્રની માગણી મંજૂર કરી અને કાગળ પર લખેલા ત્રણેય અંકની આગળ-પાછળ શૂન્ય ઉમેરી દીધાં. પછી પિતાના ખજાનચીને હુકમ કર્યો કે આ વૃદ્ધ બ્રાહ્મણને હમણાં ને હમણું આ કાગળમાં લખ્યા મુજબ સોનૈયા, ચૂકવી આપો.”.
એ તે રાજાને હુકમ, તેનું ઉલ્લંઘન થઈ શકે નહિ, એટલે ખજાનચીએ કાગળમાં લખ્યા મુજબ સેનિયા વૃદ્ધ વિપ્રને ચૂકવી આપ્યા.
ત્રણ નાનામાં નાના સમાન અંકે એટલે ૧૧૧. તે દરેક અંકની આગળ અને પાછળ શૂન્ય ઉમેરતાં પરિણામ નીચે મુજબ આવે?
૦૧૦૦૧૦૦૧૦ * શ્રી ગણપતિ અથવા ગણેશને ગજનું મસ્તક હોવાથી ગજાનન કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org