________________
પ્રકીર્ણ પાંચ પ્રાગે
૧૩૭ જિજ્ઞાસુ–પરંતુ જે રકમ ભાગી જ ન શકાતી હોય તેને શી રીતે ભાગી શકાય ?
ગણિત –એનું જ નામ ચમત્કાર. તમે હમણાં જ જેશે કે તમારી લખેલી કઈ પણ રકમને હું નિઃશેષ ભાગી અતાવીશ; એટલું જ નહિ, પણ તેના ભાગને અને તેના ભાગને પણ નિઃશેષ ભાગી બતાવીશ. ચાલ હવે તમે ત્રણ અંકની કેઈપણ રકમ કાગળ પર લખે.
જિજ્ઞાસુ–લખી. ગણિતજ્ઞ–તેની પાસે તે જ રકમ ફરી લો. જિજ્ઞાસુ–લખી. ગણિતજ્ઞ–હવે તમારે આ કાગળ 3 મહાશયને આપો.
અહીં બીજા કોઈ પણ મહાનુભાવને ઊભા કરવામાં આવે તેમને ૩ સમજવા.
૩ મહાશય પેલે કાગળ ગ્રહણ કરે છે.
ગણિતજ્ઞ–મહાશય ! તમારી પાસેના કાગળમાં જે રકમ લખી છે, તેને ૭ થી ભાગ.
જ મહાશય–ભાગી. ગણિતજ્ઞ–કંઈ શેષ વધે છે? ત્ર મહાશય–ના જી.
આ સાંભળી જિજ્ઞાસુ તથા બીજાઓ આશ્ચર્ય પામે છે. પછી ગણિતજ્ઞ = મહાશયને ઊભા કરે છે અને તેમને પેલો કાગળ ગ્રહણ કરવા કહે છે. તે પ્રમાણે જ મહાશય કાગળ ગ્રહણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org