________________
૧૩૮
ગણિત-રહસ્ય ગણિતજ્ઞ–જુઓ મહાશય, તમારા હાથમાં એક ભાગાકાર મૂકાયેલ છે. તેના ભાગમાં જે સંખ્યા આવી હોય તેને એ ભાગાકારની નીચે લખે અને તેને ૧૧ થી ભાગે.
વર મહાશય–ભાગી. ગણિતજ્ઞ–કંઈ શેષ વધી? ૨ મહાશય–ના છે, માત્ર શૂન્ય વધી છે.
આ સાંભળી બધા પ્રેક્ષકે વધારે આશ્ચર્ય પામે છે. હજી ગણિતજ્ઞ આગળ વધીને કહે છે કે તમારે ભાગાકાર # મહાશયને આપે. તે પ્રમાણે એ ભાગાકાર # મહાશયને અપાય છે.
ગણિતજ્ઞ–જુઓ મહાશય, તમારા હાથમાં જે ભાગાકાર મૂકાયે છે, તેમાં છેલ્લા ભાગાકારને જે ભાગ આવ્યું છે, તેને છેલ્લા ભાગાકારની નીચે લખે અને તેને ૧૩ થી ભાગે.
જ મહાશય–ભાગ્યા. ગણિતજ્ઞ-કંઈ શેષ વધે છે? વ મહાશય-ના છે. માત્ર શૂન્ય વધે છે.
અહીં તે આશ્ચર્યની પરાકાષ્ટા જ થાય છે અને પ્રેક્ષકે તાલીઓને ગડગડાટ કરે છે. - આ પ્રગ કેવી રીતે થયે, તે પ્રથમ જોઈ લઈએ. માને કે જિજ્ઞાસુએ ૧૧૭ની સંખ્યાને અવિભાજ્ય માની તેની પસંદગી કરી છે, તે એ પ્રથમ ૧૧૭ લખી ફરી તેની પાસે ૧૧૭ લખશે, એટલે એ રકમ ૧૧૭૧૧૭ની બનશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org