________________
[૧૩] હજાર વિકલ્પનો એક જ ઉત્તર
જે પ્રશ્ન એ ઉત્તર, એ તે આપણે સહુ કઈ જાણીએ છીએ. કેટલીક વાર એવું બને છે કે ત્રણ, ચાર કે પાંચ પ્રશ્નને એક જ ઉત્તર અપાય છે. જેમકે –
એક ભીલ રાજા પિતાની ત્રણ રાણીઓને સાથે લઈને કિઈ ગામ તરફ જઈ રહ્યો હતો. તે વખતે એક રાણીએ કહ્યું: “હે નાથ ! મને બહુ તરસ લાગી છે. માટે પાણી લાવી આપે.” બીજી રાણીએ કહ્યું: “હે સ્વામી! મારાથી હવે ભૂખ્યા રહેવાતું નથી, માટે કઈ પ્રાણુને શિકાર કરે” અને ત્રીજી રાણીએ કહ્યું: “હે પતિદેવ ! આ માર્ગ બહુ કંટાળા ભરેલ લાગે છે, માટે આપ એવું સુંદર ગીત ગાઓ કે જેથી મારું મન પ્રસન્ન થાય.” - તેના જવાબમાં ભીલ રાજાએ માત્ર એટલું જ જણાવ્યું કે “સો નથિ.” આ વાત પ્રાચીન કાળની છે અને જે વખ બેલાયા તે પ્રાકૃત ભાષાના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org