________________
ધર્મ નામનું નવમું અધ્યયન.
આઠમા પછી નવમું કહે છે તેને આ સંબંધ છે, આઠમામાં બાળ અને પંડિત એવા બે ભેદે વીર્ય બતાવ્યું, અહીં પણ તેજ પંડિત વીવડે ધર્મમાં ઉદ્યમ કરે, માટે અહીં ધર્મ કહે છે. આ સંબંધથી ધર્મ અધ્યયન આવ્યું છે તેના ચાર અનુગદ્વાર ઉપક્રમ વિગેરે છે તેમાં ઉપક્રમમાં અર્થધિકાર આ છે કે અહીં ધર્મ કહીશું, તે પ્રમાણે નિર્યુક્તિકાર
. धम्मो पुव्योवदिहो, भावधम्मेण एत्थ अहिगारो।
एसेव होइ धम्मे एसे व समाहि मग्गोति ।। नि-९९ | દુર્ગતિમાં જતા જીવને પકડી રાખવાના લક્ષણવાળો ધર્મ પૂર્વે દશવૈકાલિક શ્રુતસ્કંધ છ અધ્યયનમાં ધર્માર્થ કામ નામના અધ્યયનમાં બતાવ્યું છે, અહીં ભાવધર્મને અધિકાર છે, કારણ કે ભાવધર્મ તે જ પરમાર્થથી ધર્મ છે, આજ અર્થ આ પછીનાં બે અધ્યયન દશામાં અગ્યારમામાં છે તે પણ થોડામાં બતાવે છે, એજ સમાધિ છે, અને ભાવ માર્ગ પણ છે, એમ સમજવું, પરમાર્થથી તેમાં કંઈપણ ભેદ નથી, તે કહે છે, ધર્મ શ્રત અને ચારિત્ર એ બે નામે છે, અથવા ક્ષાંતિ આદિ દશ ભેદવાળે છે ભાવ સમાધિ પણ એજ છે, તે બતાવે છે, સમ્યમ્ આધાન તેજ ક્ષમા વિગેરે ગુણનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org