________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૧ વાથી યથાર્થવાદી (સાચા) નથી તે ઠીક છે કારણ કે તે બોલનારા અસર્વજ્ઞના કહેલા આગમ (સિદ્ધાંતને માને છે, પણ તેથી બધાએ અમ્યુગમવાદ (સિદ્ધાંતના વચને)ને બાધ આવતું નથી, કારણ કે સર્વજ્ઞ પ્રભુત આગમ માનનારા વાદીઓને કયાંય પરસ્પર વિરોધ આવતું નથી, કારણ કે તે સિવાય સર્વજ્ઞપણું સિદ્ધ ન થાય, તે કહે છે.
જ્ઞાન ઉપર આવેલા આવરણો (પડદા) સંપૂર્ણ ક્ષય થવાથી તેવા જ્ઞાની ભગવંતને રાગ દ્વેષ મહવાળાં જૂઠાં કારણો ન હોવાથી તેમનું વાક્ય યથાર્ય (સાચું) હોવાથી તમે એમ નહીં કહી શકે કે તે અયથાર્થ (જૂઠું) છે, અજ્ઞાની અહીં શંકા કરે છે કે જે કોઈ સર્વજ્ઞ હોય, પણ તે સર્વજ્ઞ છે, એ સંભવ અમને થતો નથી, તે પૂર્વે બતાવ્યું છે. જેનાચાર્ય કહે છે. તમે સાચું કહ્યું પણ અયુક્ત કહ્યું, જુઓ એ સર્વજ્ઞ વિદ્યમાન હોય તો પણ અમારા જેવા અજ્ઞાનીથી ઓળખાતું નથી.” એ તમારું વચન અયુક્ત છે, તે બતાવીએ છીએ, “જે કે તમારા માનવા પ્રમાણે પરના મનની વાત બરોબર આપણે ન જાણી શકવાથી સરાગીઓ વીતરાગ જેવા દેખાય છે, અને સાચા વીતરાગો દેખાય છે, એમ પ્રત્યક્ષ એકદમ ન જણાય, પણ સંભવ અનુમાનના સદભાવથી અને બાધક પ્રમાણના અનુભવથી તેનું અસ્તિ (વિદ્યમાનપણું) ઉડી જતું નથી, સંભવ અનુમાન બતાવે છે, વ્યાકરણ વિગેરે શાસ્ત્રના ભણવાથી સંસ્કારવાળી બુદ્ધિને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org