SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ શ્રી વિજાણંદસૂરિના કાળધર્મ પ્રસંગે– ધન ધન સંઘ ખંભાતિને, કીધું ઉત્તમ કામ રે, બહુવિધ ધન જેણઈ વાવરી, રાખ્યું ત્રિભુવન નામરે-૪૦ એ. સ. મા. ભા. ૧ લે પૃ. ૩ શ્રી વિજયસેનસૂરિના નિર્વાણ પ્રસંગે– મહેમુદી સઘલી મીલી આઠ હજાર પ્રમાણ ષરચી ખંભાયત તણઈ, સંઘઈ જાણુ સુજાણેરે-૪૯ મા. ભા. ૧ લો પૃ. ૩૯ ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં ખંભાતને સંઘ ઘણે વિવેકી હતું તેનાં ઘણજ પ્રમાણે મળે છે. સંઘની ખુબ પ્રશંસા કરેલી વાંચવામાં આવે છે. સંઘ વિવેકી ખંભાતિને, અણસણ જાણ ઉદાર રે, શ્રી પુજ્યનઈ હીતદાયકે પૂણ્યષજીનો ભરઈ સારરે-૧૪ એ. સ. મા. ભા. ૧ લે પૃ. ૯૪ સંઘ યાત્રા. વર્તમાનકાળમાં યાત્રા કરવાને જેવાં સાધને છે તેવા સાધન પહેલાં ન હતાં, ગાડાં, રથ ઈત્યાદિથી તથા પગ રસ્તે ચાલીને યાત્રા કરવામાં આવતી હતી, રસ્તામાં ચારચખારને ભય ઘણો રહેત; જેથી સારા સંઘાત વિના યાત્રાએ જવું એ ઘણુંજ જોખમ ભરેલું હતું. ગરીબ માણસેને યાત્રાએ જવું તેતો ઘણુંજ દુર્લભ હતું. આવાં કારણને લીધે ધનાઢય પુરુષો પિતાની લક્ષ્મીને ઉપયોગ મેટા મોટા સંઘે કાઢવામાં કરતા હતા; હજારે વાહનો તૈયાર કરાવતા; સાધુએ, સાધ્વીઓ, તેમાં સાથે રહેતા. છેડે થોડે અંતરે સંઘ વિસામે કરતે. ત્યાં સાધુઓ સદુપદેશ આપતા. રાતી જગા તથા આનંદ ઉત્સવ અને વિવિધ જમણવાર થતાં. અત્યંત ભક્તિભાવ પૂર્વક જાત્રા કરવામાં આવતી હતી. જે ગૃહસ્થ દ્રવ્ય ખરચી સંઘ કાઢતો તે સંઘવી કહેવાતે. ખંભાતમાં ઘણા પ્રખ્યાત સંઘવીઓ થઈ ગયા છે. સંઘવી ઉદયકરણ પારેખ રાજીયા વજીયા, સેની તેજપાલ, શ્રીમલ્લ, સંઘવી ષભદાસ, વગેરે સંઘવીઓનાં નામ ઘણું પ્રખ્યાત છે. અને એવાજ કેઈ સંઘવીના નામ ઉપરથી આજે પણ “સંઘવીની પાળ નામાં એક મહેલ્લો મેજુદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy