SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંધ અને સંઘયાત્રા. ૧૪૫ સેમસી મંત્રી કેટલો વિવેક કર્યા પછી પોતાનું કાર્ય આરંભે છે? સંઘની પ્રતિષ્ઠા ઉપર કેટલી પ્રીતિ દેખાય છે? સત્તરમા સૈકામાં મેગલ સમ્રાટ અકબર સૂરીશ્વર શ્રી હીરવિજયસુરિને પોતાની પાસે આગે નિમંત્રણ કરે છે; તે ફરમાન લઈ અમદાવાદને સંઘ ગાંધારમાં રહેલા સૂરીજીને બતાવા જાય છે. આ સમયે ખંભાતના સંઘને પોતાની સાથે લઈ જાય છે. તે વખતના ખંભાતના સંઘના આગેવાને સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, પારેખ રાજીયા, રાજા શ્રીમદ્ઘ વગેરે તેમની સાથે જઈ મહારાજશ્રીને વંદન કરે છે; સૂરિજી તેમના આગમનથી અત્યંત હર્ષ પામ્યા, પછી સમ્રાટ અકબર પાસે જવાની મંત્રણ કરે છે. કહે; સંઘની કેટલી પ્રતિષ્ઠા! સંઘને કેટલે ભક્તિભાવ! પંદરમાં, સોળમાં સૈકામાં અનેક ધર્મવીરેએ હજારે રૂપીઆ ખરચી જુદા જુદા જિનદેવની પ્રતિમાઓ કરાવી છે. જ્યારે ઘણું વ્યક્તિઓ આવાં ધર્મ કાર્ય કરે ત્યારે સમસ્ત સંઘ પણ પિતાનું આવું ધર્મ કાર્ય કરતાં ચુક્તા નથી. સંવત ૧૬૩૨ ના વૈશાખ શુદિ ૧૩ ને શુકે ખંભાતના સંઘે શ્રી પંચાસરા પાર્શ્વનાથનું બિબ કરાવ્યું છે, અને શ્રી વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. જેમ વર્તમાન કાળમાં કેટલાંક જિનાલયેની વ્યવસ્થા જૈનશાળા મારત થાય છે, તેવી રીતે તે સમયે જિનાલયેની વ્યવસ્થા સંઘદ્વારા થતી હતી. તેના નિભાવ માટે જેન વ્યાપારીઓ આવતા માલ ઉપર વેરે નાખતા. અને તે દ્રવ્યમાંથી જૈન મંદિરની વ્યવસ્થા કરવામાં આવતી હતી. .. કે સાધુ કે આચાર્ય સ્વર્ગવાસી થાય તે તે પ્રસંગે સઘળે સંઘ સારે સંપ દેખાડી તે પ્રસંગ સારી રીતે ઉજવતો હતે; તેમ કોઈ સૂરિને આચાર્ય પદ આપવામાં આવતું તે પ્રસંગે પણ સંઘ સારી મદદ કરતે. જેમકે વિજયદેવસૂરિને ગચ્છનાયક પદ આપ્યું ત્યારે – ખંભનયર ઉચછવ ઘણું શ્રી વિજયસેન ભલું કીધું રે” સંઘ સહિત શ્રી વિજયદેવન, ગચ્છનાયક પદ દીધું રે-૧૨ - એ. સ. મ. ભા. ૧ લે પૃ. ૭૨ ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જ લેખાંક ૫૬૨. ૨ જુઓ શિલાલેખ સં. ૧૩૫ર ને (પરિશિષ્ટમાં) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy