SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લે કેટલા ભેદ? ગુણસ્થાન કેટલા (જીવના) ભેદ? કયા? ૧૪ ભેદ (બધા). ૬ ભેદ (બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય,અને અસંશી પંચેન્દ્રિયના અપર્યાપ્તા તથા સંજ્ઞીપંચેન્દ્રિયના અપર્યાપ્ત અને પર્યાપ્તા) ૧ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તો) ૪ થે ૨ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તા અને અપર્યાપ્તા) ૫ થી ૧૪ માં ૧ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તા). પ્રશ્ન ૨૩ - ૧૪ ગુણસ્થાનમાં જીવના પ૬૩ ભેદમાંથી કેટલા હોય? ઉત્તર – (જીવના પ૬૩ ભેદ = ૧૪ નારકીના ભેદ, ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેદ મનુષ્યના, ૧૯૮ દેવતાના ગુણસ્થાન કયા? ૧ લે પપ૩ ભેદ (અનુત્તર વિમાનનાં પર્યાપ્તા, અપર્યાપ્તા ૧૦ ભેદ વર્જી) ર૧૩ ભેદ (નારકી - ૧૩ તિર્યંચ - ૧૮, મનુષ્ય - ૭, દેવતા-૧પર ભેદ) ૧૦૩ ભેદ (નારકી – ૭, તિર્યંચના – ૫, મનુષ્યના૧૫, દેવતાના ૭૬) ૪ થે ર૭પ ભેદ (નારકી – ૧૩ તિર્યંચના ૧૦ મનુષ્યના ૯૦ દેવતાના૧૨) ૫ મે ર૦ ભેદ (નારકી – 9 તિર્યંચના ૫, મનુષ્યનાં ૧૫, દેવતાના ૦) ૬ થી ૧૪ માં ૧૫ ભેદ (નારકી – ૦, તિર્યંચના ૦ મનુષ્યનાં ૧૫, દેવતાના ) પ્રશ્ન ૨૪ - યોગ એટલે શું? તેના ભેદ કેટલા? ઉત્તર – વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી થતો જીવનો મન-વચન-કાયાના પરિસ્પંદન રૂપ વ્યાપાર તેનું નામ યોગ અર્થાત્ મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે યોગ. તેના મુખ્ય ૩ ભેદ અને વિસ્તારથી ૧૫ ભેદ છે. (૧) મનોયોગ - મનઃ પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે મનો યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણાવી (તેના દ્વારા ચિંતન મનન-વિચાર કરીને) છોડી દેવા તે મનોયોગ (ર) વચન યોગ - ભાષા પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી જે કાંઈ બોલવું હોય તે બોલી અને છોડી દેવા તે વચનયોગ (૩) કાયયોગ - શરીરની હલનચલનાદિ ક્રિયા રૂપ વ્યાપાર તે કાયયોગ. તેમાં મનોયોગનાં ૪ પ્રકાર, વચનયોગનાં ૪ પ્રકાર અને કાયયોગના ૭ પ્રકાર એમ કુલ યોગના ૧૫ પ્રકાર છે. મનોયોગનાં ૪ પ્રકાર - (૧) સત્યમનોયોગ - યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન જેમકે, જીવ છે. જીવ અસંખ્યાત પ્રદેશ અને દેહ વ્યાપી છે. ઈત્યાદિ. (૨) અસત્ય મનોયોગ - સત્યથી વિપરીત ચિંતન જેમકે જીવ નથી. પાંચ ભૂતરૂપ દેહ તે જ જીવ છે. ઈત્યાદિ. (૩) મિશ્ર મનોયોગ - જેમાં સાચું-ખોટું બંને મિશ્ર ચિંતન હોય, જેમકે બગીચામાં ઘણી જાતના વૃક્ષો હોવાં છતાં આ તો આંબાનો બગીચો છે, આમ્રવન છે તેમ વિચારે (૪) અસત્યા મૃષામનોયોગ - (વ્યવહાર) જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી, જેમકે ઘડો લાઓ, ગામ આવ્યું વગેરે ચિંતન કરે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ - સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (૧૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy