SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સરળ પ્રકૃતિ હોવી, ૨. પ્રકૃતિવિનીત હોવું, ૩. દયાના પરિણામો રાખવા, ૪. ઈર્ષ્યા ન કરવી. (ઘ) દેવાયું બંધાવા માટે ચાર કારણ છે : ૧. સરાગ-સંયમ–રાગયુક્ત સંયમ પાળવો (આયુષ્યનો બંધ ન તો રાગથી થાય છે કે ન સંયમથી થાય છે, તે તો સરાગી સંયમીની તપશ્ચર્યાથી થાય છે અને અભેદોપચારથી તેને સરાગ-સંયમ કહેવામાં આવે છે.) ૨. સંયમસંયમશ્રાવકપણું પાળવું. ૩. બાલ-તપસ્યા–મિથ્યાત્વીની તપસ્યા. ૪. અકામ-નિર્જરા–મોક્ષની ઇચ્છા વિના જે કંઈ તપસ્યા કરવી. નામ-કર્મ-બંધના કારણોઃ. (ક) શુભ નામકર્મ બંધાવા માટે ચાર કારણ છે : ૧. કાય-ઋજુતા–બીજાને ઠગવા માટેની શારીરિક ચેષ્ટા ન કરવી. ૨. ભાવ-ઋજુતા-બીજાને ઠગવા માટેની માનસિકચેષ્ટા ન કરવી. ૩. ભાષા-ઋજુતા–બીજાને ઠગવા માટેની વચનચેષ્ટા ન કરવી. ૪. અવિસંવાદનયોગ–કથની અને કરણીમાં વિસંવાદ ન રાખવો. (ખ) ઉક્ત કાર્યો કરવાથી અશુભ નામકર્મ બંધાય છે. ગોત્ર કર્મ-બંધના કારણોઃ ગોત્ર કર્મબંધના આઠ કારણો છે: ૧. જાતિ, ૨. કુળ, ૩. બળ, ૪. રૂ૫, ૫. તપસ્યા, ૬. શ્રુત (જ્ઞાન), ૭. લાભ, ૮. ઐશ્વર્ય. આ બધાનો મદ ન કરવો ઉચ્ચ-ગોત્ર-બંધનું કારણ છે અને મદ કરવો નીચ-ગોત્ર-બંધનું કારણ છે. અંતરાય કર્મ-બંધના કારણોઃ અંતરાય કર્મબંધના કારણે પાંચ છે– ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ, ૫. વીર્ય (ઉત્સાહ અથવા સામર્થ્ય)–આ બધામાં વિઘ્ન નાખવું. સ જીવ-અજીવ ૬૦ ૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy