________________
૫. દર્શન-આશાતના—દર્શન કે દર્શનીની અવહેલના કરવી. ૬. દર્શન-વિસંવાદન—દર્શન કે દર્શનીના વચનોમાં વિસંવાદ અર્થાત્ વિરોધ દેખાડવો.
વેદનીય કર્મ-બંધના કારણો ઃ
(ક) સાતાવેદનીય કર્મના કારણ છ છે—પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ~તેના પર અનુકંપા કરવી, અર્થાત્—
૧. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પોતાની અસત્ પ્રવૃત્તિથી દુઃખ ન દેવું.
૨. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને હીન ન બનાવવા.
૩. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોના શરીરને હાનિ પહોંચાડનાર શોક પેદા ન કરવો.
૪. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને સતાવવા નહીં.
૫. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વો પર લાકડી વગેરેથી પ્રહાર ન કરવો.
૬. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પરિતાપિત ન કરવા. (ખ) ઉક્ત કામો કરવાથી સાતાવેદનીય કર્મનો બંધ થાય છે. મોહનીય કર્મ-બંધના કારણો ઃ
:
તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, તીવ્ર દર્શનમોહ, તીવ્ર ચારિત્રમોહ, તીવ્ર મિથ્યાત્વ.
હાસ્ય, રતિ આદિ તીવ્ર નો-કષાય.
આયુષ્ય-કર્મ-બંધના કારણો :
(ક) નરકાયુ બંધાવા માટે ચા૨ કારણ છે ઃ
૧. મહાઆરંભ, ૨: મહાપરિગ્રહ, ૩. પંચેન્દ્રિય-વધ અને ૪. માંસાહાર.
(ખ) તિર્યંચાયુ બંધાવા માટે ચાર કારણ છે :
૧. માયા કરવી, ૨. ગૂઢ માયા (એક કપટ ઢાંકવા માટે બીજું કપટ કરવું), ૩. અસત્ય વચન બોલવું, ૪. કૂટ તોલમાપ કરવા. (ગ) મનુષ્યઆયુ બંધાવા માટે ચાર કારણ છે :
૧.
प्राणाद्वित्रिचतुः प्रोक्ताः भूतास्तु तरवः स्मृताः । નીવા : વેન્દ્રિયા જ્ઞેયા:, શેષા: સત્ત્વા વીરિતા ॥ દસમો બોલ ૦ ૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org