SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની ક્રિયા કરે છે, પોતાને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે અને તેમના દ્વારા જ ગૃહીત આહાર ખોળ (અસાર મળ-મૂત્રરૂપ) અને સાર (રસરૂપ)માં વિભાજિત થાય છે. શરીર-પર્યાપ્તિ વડે તે આહારનું સાત ધાતુઓના રૂપમાં પરિણમન થાય છે. ઇન્દ્રિય-પર્યાપ્તિ ઇન્દ્રિયોના વિષયો જાણવામાં સહાયક બને છે. શ્વાસોચ્છવાસની ક્રિયા, બોલવાની ક્રિયા, આલોચનાની ક્રિયા ક્રમશઃ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને મનઃ-પર્યાપ્તિની સહાયતાથી થાય છે. પતિ પ્રાણધારીઓનું એક વિલક્ષણ લક્ષણ છે. પ્રાણીધારીઓ સિવાય આ લક્ષણ અન્યત્ર ક્યાંય મળતું નથી. પર્યાતિઓ દ્વારા પ્રાણધારીઓમાં વિભિન્ન પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને ઉત્સર્ગ થતાં રહે છે. આહાર-પર્યાપ્તિ વડે આપણે આહારને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, તેમને આહારના રૂપમાં પરિણત કરીએ છીએ અને છોડી દઈએ છીએ. શરીર-પર્યાપ્તિ વડે શરીરને યોગ્ય પગલોને લઈએ છીએ, શરીરના રૂપમાં પરિણત કરીએ છીએ, અને અસાર પુગલોને છોડી દઈએ છીએ. રોમ આહાર અને કવલ આહાર.ઓજ આહાર–કાશ્મણયોગ વડે પ્રથમ સમયમાં જે પુદ્ગલ-સમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે છે–ઓજ આહાર,રોમ આહાર–સ્પર્શન-ઇન્દ્રિય દ્વારા જે પુગલ-સમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે છે–રોમ આહાર. રોમકૂપ વડે ક્ષણે-ક્ષણે પુગલોનું ગ્રહણ થતું રહે છે. સૂર્યના તાપથી સંતપ્ત અને તરસ્યો વટેમાર્ગુ વૃક્ષની છાયામાં જઈને રોમકૂપ વડે ઠંડકના પુગલોને ગ્રહણ કરે છે અને પરમ શાંતિનો અનુભવ કરે છે. પ્રક્ષેપ અથવા કવલ-આહાર–તે આહાર જે મોં વડે ગ્રહણ કરવામાં આવે અથવા તો જે બાહ્ય સાધનો વડે શરીરમાં પ્રસિદ્ધ કરવામાં આવે. નાક વડે રબ્બરની નળીથી અથવા ગુદા વડે અથવા ઇંજેક્શન વડે જે આહારનો શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે તે બધો આહાર કવલઆહારની શ્રેણીમાં આવે છે. એક આહાર માનસિક છે જે દેવતાઓનો હોય છે. = ત જીવ-અજીવ - ૨૪ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy