________________
બાવીસમો બોલ
શ્રાવકનાં બાર વ્રત
૧. અહિંસા અણુવ્રત ૭. ભોગપભોગ-પરિમાણ વ્રત ૨. સત્ય અણુવ્રત ૮. અનર્થદંડ-વિરતિ વ્રત ૩. અસ્તેય અણુવ્રત ૯. સામાયિક વ્રત ૪. બ્રહ્મચર્ય અણુવ્રત ૧૦. દેશાવકાશિક વ્રત પ. અપરિગ્રહ અણુવ્રત ૧૧. પૌષધ વ્રત ૬. દિગૂ-વિરતિ અણુવ્રત ૧૨. અતિથિ-સંવિભાગ વ્રત
આચરણની પવિત્રતા જ માનવ-જીવનનું સર્વસ્વ છે. જૈનદર્શનમાં જેવું સમ્યગૂ-જ્ઞાનનું મહત્ત્વ છે, તેવું જ સમ્યફ-ક્રિયા(સદ્આચરણ)નું મહત્ત્વ છે. ફક્ત જ્ઞાનથી કે ફક્ત આચરણથી મોક્ષ નથી મળતો, પરંતુ બંનેના ઉચિત સંયોગથી જ મોક્ષ મળે છે. એક પૈડાથી રથ ચાલી નથી શકતો.
જૈન-દર્શન અનુસાર ગૃહસ્થ વ્યાપાર વગેરે વડે ગૃહ-નિર્વાહ કરતો-કરતો પણ ધર્મની આરાધના કરી શકે છે.
આમ તો જે-જે શુદ્ધ આચરણો છે, તે બધાં ધર્મ જ છે. તો પણ ધર્મના અધિકારીઓની અપેક્ષાએ તેમનાં બે ભેદ કરવામાં આવ્યા છે–પૂર્ણ-ધર્મ અને અપૂર્ણ-ધર્મ. પૂર્ણ-ધર્મના અધિકારી તે વ્યક્તિઓ થઈ શકે છે કે જેઓ પોતાની સમસ્ત વૃત્તિઓને ત્યાગતપસ્યામાં લગાડી પૂર્ણ-સંયમી બની જાય છે. અપૂર્ણ-ધર્મના
= = બાવીસમો બોલ ૧૬૧ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org