SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ-ગતિમાં જનારા જીવ અંતરાલ-ગતિ વખતે સૂક્ષ્મ અને સ્થળ બધા પ્રકારના શરીરોથી મુક્ત હોય છે. આથી તેમને આહાર લેવાની જરૂર હોતી નથી. સંસારી જીવ સૂક્ષ્મ-શરીર સહિત હોય છે. આથી તેમને આહારની આવશ્યકતા હોય છે. ઋજુ-ગતિ કરનારા જીવો જે સમયમાં પ્રથમનું શરીર છોડે છે તે જ સમયમાં બીજા જન્મમાં ઉત્પન્ન થઈને આહાર લે છે. પરંતુ બે સમયની એક વળાંકવાળી, ત્રણ સમયની બે વળાંકવાળી અને ચાર સમયની ત્રણ વળાંકવાળી વક્ર-ગતિમાં અનાહારક સ્થિતિ જોવા મળે છે. ક્રમશઃ પહેલીનો પહેલો, બીજીનો પહેલો અને બીજો તથા ત્રીજીનો બીજો અને ત્રીજો સમય અનાહારક અર્થાત્ આહારશૂન્ય. હોય છે. જીવની અંતરાલ ગતિ ગતિ વળાંક સમય આહાર-અનારક ઋજુ-ગતિ નહીં એક આહારક વક્ર-ગતિ એક બે પ્રથમ સમય અનાહારક બીજો સમય આહારક વક્ર-ગતિ બે ત્રણ પ્રથમ-બીજો સમયઅનાહારક, ત્રીજો સમય આહારક. વક્ર-ગતિ ત્રણ ચાર બીજો-ત્રીજો સમય અનાહારક, પહેલો-ચોથો સમય આહારક. ત્રણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy