________________
ઓગણીસમો બોલ
----
-
-
-
-
-
--
-
ધ્યાન ચાર ૧. આર્તધ્યાન
૩. ધર્મધ્યાન ૨. રૌદ્રધ્યાન
૪. શુક્લધ્યાન ધ્યાનનો અર્થ છે–ચિતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું, એક વિષય પર મનને સ્થિર કરવું અથવા મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો વિરોધ કરવો.
ધ્યાતા ધ્યાન દ્વારા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને તેમાં સફળ પણ થાય છે. ધ્યેયની ઇષ્ટતા અને અનિષ્ટતાના આધારે ધ્યાન પણ ઇષ્ટ અને અનિષ્ટ બની જાય છે. સામાન્યપણે ધ્યેય અપરિમિત છે. જેટલા મનુષ્યો છે, તે સહુની એકાગ્રતા જુદીજુદી હોય છે. તેમનું પ્રતિપાદન કરવું અસંભવિત છે. સંક્ષેપમાં તેના ચાર ભાગ કરવામાં આવ્યા છે. જેટલી અનાત્માભિમુખ એકાગ્રતા છે; તે બધી આર્ત અને રૌદ્રધ્યાન છે; જેટલી આત્માભિમુખ એકાગ્રતા છે, તે બધી ધર્મે કે શુક્લ-ધ્યાન છે.
આર્ત અને રૌદ્ર સંસારના કારણો છે, આથી કરીને હેય છે. ધર્મ અને શુક્લ મોક્ષના કારણો છે, આથી ઉપાદેય છે. ૧. આર્તધ્યાન
અર્તિનો અર્થ છે–પીડા કે દુ:ખ. તેમાં થનારી એકાગ્રતાને આર્તધ્યાન કહે છે. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે અને
= દસ જીવ-અજીવ - ૧૩૬ દર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org