________________
કલ્પોપપન્ન દેવોમાં આ દસ પ્રકારના ભેદો મળે છે પરંતુ વ્યંતર અને જ્યોતિષ્મોમાં માત્ર આઠ પ્રકારના ભેદ મળે છે, ત્રાયસિઁશ અને લોકપાલ તેમનામાં નથી હોતા.
કલ્પાતીત
આ બાર સ્વર્ગોની ઉપર નવ ચૈવેયક દેવોના વિમાનો છે. લોક પુરુષના આકાર જેવો છે. આ નવ વિમાનો તે પુરુષની ગ્રીવા——ગળાના ભાગમાં હોવાથી ત્રૈવેયક કહેવાય છે. આ નવ વિમાનોની ઉપર પાંચ વિમાન બીજાં છે—
૧. વિજય, ૨. વૈજયન્ત, ૩. જયન્ત, ૪. અપરાજિત, ૫. સર્વાર્થસિદ્ધ.
આ વિમાનો સહુથી ઉત્તર—પ્રધાન હોવાને કારણે અનુત્તર કહેવાય છે.
નીચે-નીચેના દેવોથી ઉપર-ઉપરના દેવો આ સાત વાતોમાં અધિક-અધિક હોય છે
૧. સ્થિતિ—આયુ-કાળ.
૨. પ્રભાવ.
૩. સુખ—ઇન્દ્રિય-જન્ય સુખ.
૪. દ્યુતિ—શરીર, વસ્ત્ર, આભરણ વગેરેનું તેજ. ૫. લેશ્યાની વિશુદ્ધિ.
૬. ઇન્દ્રિય-વિષય—દૂરના વિષયોને ગ્રહણ કરવાનું ઇન્દ્રિય-સામર્થ્ય.
૭. અવધિ-જ્ઞાનનું સામર્થ્ય.
નીચેના દેવોની અપેક્ષાએ ઉપરના દેવોમાં ચાર વાતો
ઓછી મળે છે; જેમ કે—
૧. ગતિ—ગમનક્રિયા. ૨. દેહનું પરિમાણ.
૩. પરિગ્રહ—ધન, સંપત્તિ, વિમાન આદિ. ૪. અભિમાન—અહંકારની માત્રા.
Jain Educationa International
સોળમો બોલ - ૧૨૭
For Personal and Private Use Only
www.jainelibrary.org