SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ગુરુપૂર્ણિમા મહિમા : ગુરુતત્ત્વના કે ગુરુતનના? ગાવિંદ કરતાંય ગુરુ મહાન છે માટે ગુરુ અને ગાવિદ બન્ને સાથે ઊભા હોય તે પહેલું નમન ગુરુતે કરવું, ગાવિંદને નહી. મતલબ ભગવાન કરતાં ગુરુ મેટા છે અને તે એટલા સારુ મેટા છે કે ગુરુના ભાદ નથી જ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે,’ ‘આપણા સતા અને ભક્તોએ એ પણ ગાયું છે. ‘નગુરાનો સંગ ન કરવા.' આ બધું સ્પષ્ટ બતાવી આપે છે કે ગુરુનો મહિમા આ દેશમાં પાર વગરનો છે, અને જેને ગુરુ છે નહીં, તેનો તા કાઈ વિશ્વાસ પણ ન કરે અને તેનું સમાજમાં ગૌરવ માન પણ નહીં. કારણ કે આખાયે ભારતીય સંસ્કૃતિ ધમ તત્ત્વ ઉપર ઊભી છે, અને ધમ નો વ્યક્તિગત રખેવાળ તા એકમાત્ર ગુરુ છે. આથી જ ઉપનિષદોમાં ચર્ચા ગુરુશિષ્ય ઉપર પ્રાય: આવતી હોય છે. માચ્ચારમાં પણ સહનાવવતુ સહનૌ ભુનકતુ એવા મંત્ર ગુરુશિષ્ય વચ્ચેની આત્મીયતા બતાવવા આવ્યા કરે છે. પણ ગુરુ કોને માનવા ? એ સવાલ ઊઠશે. એક કાળે બ્રાહ્મણાના હાથમાં જ સમાજનું ગુરુપદ હતું. પણ બ્રાહ્મણે મેક્રટે ભાગે ગૃહસ્થાશ્રમી તથા વાન પ્રસ્થાશ્રમી હોઈ જ્યાં લગી સન્યાસ પામેલા વાલ્મીકિ જેવાનુ —તે જંગલમાં રહેવા છતાં–સમાજ પર આધ્યાત્મિક પ્રભુત્વ હતુ. ત્યાં લગી તે જાણે બ્રાહ્મણા ત્યાગતપમાં આગળ રહ્યા અને તેઓએ ધમ અને સમાજના નાનામાં નાના માણસને ન્યાય મળે તે જાતની વિશિષ્ટ ન્યાયરક્ષા કર્યાં કરી. ક્ષત્રિયાના હાથમાં સત્તા હેાવાથી તેના દ્વારા કાઈને અન્યાય ન થઈ જાય અથવા તેમનાથીયે વિશિષ્ટ અને સાચા ન્યાય મળે, ક્ષત્રિયા પોતે સાચા ન્યાયમાં ગફલત ન કરે તેમ જ ક્ષત્રિયા જાતે પણ વિલાસ વૈભવ અને સત્તામદમાં નીચે ન પડી જાય, તેનીચે ચોકી રાખ્યા કરી. પણ સંન્યાસી વર્ગનું પ્રભુત્વ સમાજમાંથી દૂર જંગલમાં રહેવાને કારણે નીકળી ગયું એટલે બ્રાહ્મણે પણ કાં તે સત્તા લાલસાને માગે વળ્યા અને કાં તે ક્ષત્રિય રાજાએ સાથે સાંઠગાંઠ કરી વૈભવ વિલાસમાં લલચાયા. અને બ્રાહ્મણાતુ સાચુ વર્ચીસ નીચે પડી ગયું. યુગપુરુષ શ્રીકૃષ્ણનો કાળ આવા લાગે છે. તેથી તેા મહાભારતનું યુદ્ધ થયું અને બ્રાહ્મણેા કાં તે! સાવ નમાલા પુરવાર થયા. દ્રૌપદીની લાજ સમાજ સામે દુ:શાસને લેવાની નટાઈ કરી. આ કરતાં આનો કડવો નમૂનો ખીન્ને કયા હાય ? Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy