SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ સભાગે ભ. મહાવીર અને ભ. બુદ્ધ આવ્યા અને તેમણે બે વાતે વધુ સિદ્ધ કરી આપી : (૧) સત્તા કરતાં સત્ય મોટું છે અને (૨) આખા સમાજને અહિંસામાં આગળ વધારવામાં સંસ્થાનું મહત્વ સરાસર વ્યક્તિ કરતાં ઘણું મોટું છે. આને લીધે ધમેં સામુદાયિક રૂપ પકડયું અને બાહ્મણ પાસેથી ગુરુપદ નીકળીને શ્રમણવર્ગના હાથમાં આવ્યું. શ્રમણવર્ગ પરિવાજકપણે ગુરુ સહેજે બની ગયે. ‘શાંતિ પમાડે તેને સંત કહીએ સાચા ગુરુનું આ લક્ષણ છે. અથવા ગુરુ એટલે શિષ્યને શિષ્ય એટલે ગુરુના શિષ્યને પણ શિષ્ય. અર્થાત્ ગુરુ પણ નમ્ર હોવા જોઈએ શિષ્ય તો નમ્ર સહેજે હોય જ. ગુરુ અને શિષ્ય બંને ધ્યેયલક્ષી હોય તે સારું નહીં તે – ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ ડૂબે બિચારે બાપ! બટ પત્થર કી નાવ. એમ કંડી બાંધે એવા ગુરુ તે ઘણય મળી રહે છે. શિષ્ય કરવામાં ગુરુની જ્વાબદારી છે ને ગુરુ કરવામાં શિષ્યને પણ તકેદારીની જરૂર છે. ગુરુ તરીકે તેમનામાં અંત:કરણને શુદ્ધ પ્રેમ હવે જોઈએ. જે માણસ ગુરુ તરીકે હોય તે માણસ દંભી ન હોવો જોઈએ, પણ નમ્ર હોવો જોઈએ. અને તે પરખાયા વિના રહેતો જ નથી. આટલું શિષ્ય ખાસ જુએ. વળી શિષ્ય પણ જે ડગલે ને પગલે ગુરુનાં આચરણે જુએ તે સારું ન કહેવાય. પણ મનને પ્રેરણામાં, અને દરવણીમાં બુદ્ધિને રાખી વિચારવું તો ખરું જ. ગુરુ પ્રત્યે શંકાશીલ ન બનવું. પણ ગુરુ જે અ-કાર્ય કરવા પ્રેરવાનું કહે તે એણે એકદમ ઘેરાવું નહીં, પણ તે બાબતમાં ચોકસ કરવું. મતલબ કે આ સ્થળે વધારે જાગ્રત રહેવું. વળી ગુરુ અને શિષ્યને સંબંધ નિર્લેપ રાખવો ને દૂર રહી પ્રેરણું ઝીલવી, નહીં તો રાગબંધનમાં પડી જવાનો મહાભય પણ રહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy