SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ જગન્નાથની રથયાત્રા [અષાડ સુદ્ઘ બીજ] અમદાવાદની જગન્નાથની જગ્યા જિલ્લાભરમાં જાણીતી છે. દર વર્ષે અષાઢી બીજને રાજ જગનાથનો વઘેાડૅ નીકળે છે. અમદાવાદમાં એ આખા દિવસ ફરે છે. સૌને જગન્નાથ પર પ્યાર છે. તેમાંય પછાત ગણાતી જનતાને તે ખાસ, કારણુ, ત્યાં હંમેશાં સદાવ્રત ચાલુ હોય છે. ભૂખ્યાંને ભેજન ત્યાં મળવાનું જ. જો કે આજે દુનિયાની અને હિંદની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે; એટલે હવે જૂની ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર થવાની જરૂર છે. જગન્નાથજીની જગ્યાના મહંતજી અને ટ્રસ્ટીઓ આ જાતના ભાજનને બદલે શ્રમ કરવાથી રોટી મળે તે રીતે ગૃહઉદ્યોગા, મામાદ્યોગ તથા શિક્ષણસંસ્કારની પાછળ જો પેાતાની જગ્યાના દાનપ્રવાહને મુખ્યપણે વાળે તા ઘણું જ ઉત્તમ. અલબત્ત, ત્યાં ગેાપાલનની વ્યવસ્થા છે, ઔષધાલય અને વિદ્યાલયની યેાજના થવાની છે, એમ મને માહિતી મળી હતી, પણ હવે તે કોઈક અપવાદ સિવાય વિના વળતરે ખાવાનું બંધ થાય એ જ ઈષ્ટ છે; નહિ તે ભિખારુવૃત્તિ અને આળસ જ પાષાય છે. એવી ખાટી ટેવાને જગન્નાથજીની જગ્યા દ્વારા ટેકા ન જ મળવા જોઇએ. અમદાવાદમાં જગન્નાજીની રથયાત્રાના મહિમા ખૂબ છે. આ વખતના ચર્ચાપત્રામાં વરઘેાડા વખતે બીડી અને સભ્યતા વિષે થાડી ચર્ચા છાપાંમાં આવી છે, મે` અમદાવાદના નિવાસ દરમ્યાન આ મદિરની મુલાકાત લીધી હતી. ગાયાની સેવા અને ભૂખ્યાને ભોજન એ એ વાતે તે મને ગમી જ છે. પરંતુ એ સેવાએ યુગાનુલક્ષી ખાસ સશાધન માગે છે અને ત્યાં વસતા કે આગ ંતુક સાધુ બાવાજીએના ચાલુ વર્તાવમાં (અંતર્ગ રીતે ન કહી શકું પણ) આદ્ય રીતે ખૂબ સુધારા માગે છે. આ માટે થે!ડીક સૂચના કરુ છું. (૧) ગંજીફા કે ચાપાટ સાધુ ન રમે. (૨) આડી, ગાંજો વગેરે કેફી ચીજો ન પીએ. (૩) ભાષામાં ખૂબ સંયમ જાળવે, (૪) ન કાઈને ડરાવે, ન કોઇ અન્યાયથી ડરે. Jain Educationa International મતલબ કે જગન્નાથજીના મહિમાને દીપાવવા તરફ ખાવા મહંતજી તથા લાગતાવળગતા સૌ ધ્યાન આપે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy